Posts

Showing posts from October, 2021

એક અનોખા અમદાવાદી.

Image
  અરે..! સારાભાઈ પરીવાર એટલે દેશભક્ત પરિવાર. આઝાદી પહેલાંથી દેશ માટે પરિવારે બધું જ કર્યું. વિક્રમ સારાભાઈ,નૃત્યકાર મલ્લિકા સારાભાઈ અને કાર્તિકેય સારાભાઈ. દેશમાં દેશ માટે આગવું યોગદાન આપનાર આ પરિવારના સભ્યોને પદ્મ મળ્યા હોઈ,આ પરિવારને પદ્મ પરિવાર તરીકે પણ ઓળખાય છે. આજે આધુનિક સમાજ સાથે આપણે વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યા છીએ. આ માટે સારાભાઈ પરિવારનું સીધું યોગદાન છે.  ડૉ.વિક્રમ સારાભાઈ . અટકની જેમ જ એ સારા. ખૂબ સારા, એમનો પરિવાર પણ સમગ્ર દેશમાં સારા પરિવારમાં ગણાય. આવા સારા પરિવારમાં ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ વિક્રમ નામે બાળકનો જન્મ થયો. અમદાવાદના અદના ઉદ્યોગપતિના તે પુત્ર. તેમનો પરિવાર બાળકોના સર્વાંગી વિકાસ થાય એવું વિચારતા હતા. ત્યારે આપણો દેશ ગુલામ હતો. એમના પરિવારમાં નાનપણથી તેમને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ડૉ.વિક્રમ સારાભાઇના જીવન વિષે જાણવું ખૂબ રસપ્રદ છે. નાનપણથી જ વિજ્ઞાન ક્ષેત્રે તેમને લગાવ. નાના હતા ત્યારથી એમને વિજ્ઞાન માટે લગાવ.પરિવારનો સપોર્ટને છેવટે વિશ્વના એક મહાન વૈજ્ઞાનિક તરીકે તેમની ખ્યાતી થઇ. તેઓએ ભારતમાં રહીને પ્રાથમિક અને હાઈસ્કુલનું શિક્ષણ લીધું. આગળ ના અભ્યાસ

સલમા ને કૃષ્ણ લઇ ગયાં.

Image
  અદભૂત લોકો હતા,જે પતંગિયાં બનાવતા હતા. દરિયા માટે પાછા જાતે, માછલી પણ ઘડતા હતા.   મારા ગામમાં ચારેક દરજી હતા.હવે એક જ છે. જે કેટલાક નમાજી માટે ટોપીઓ બનાવતા હતા. ........... સલમા અને કૃષ્ણ હવે સાથે થઈ ગયાં. ........... સવારનો સમય. આખા દેશનો તહેવાર. બધે જ ઉજવણીનો માહોલ. આ માહોલમાં શાળાના બાળકો.આ બાળકો એ માહોલ વધુ સુંદર બનાવ્યો હતો. આ વાત છે છવ્વીસ જાન્યુઆરીની. બે હજાર એકનું વર્ષ. સવારના સમયે અંજાર શહેરના બાળકો પ્રભાતફેરી માટે તૈયારી કરતાં હતાં. વંદે માતરમ અને ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર સાંભળતા હતા.  જૂની બંધાણી ધરાવતું નાનું નગર અંજાર. અહીં ગામમાં પ્રભાત ફેરી માટે બાળકો કતારમાં ચાલતાં હતાં. છોકરાં ઉત્સાહથી આગળ વધતાં હતાં. કતારમાં સો એક છોકરાં હશે. મોટા ભાગના બાળકોના હાથમાં પ્લાસ્ટિકના તિરંગા હતા. અંજાર શહેરમાં પ્રભાતફેરી ફરવા એક જુના મકાન પાસેથી પસાર થવું પડે. બાળકો આ મકાન સુધી પહોંચ્યા હશે. એટલામાં તો...ધરતી જાણે ઉભી થઇ. પાણીમાં જેમ હોડી ડોલે એવું જ અહીં જમીનમાં અનુભવાયું.  શાળાના બાળકો જૂની બંધણીના મકાન પાસે પહોંચ્યા હશે. અહીંથી પસાર થવા માટે એક તરફ ત્રણ અને બીજી તરફ બે માળનું મકાન

એક અનોખા ગુજરાતી

Image
આજે જે મોબાઈલ ઉપર બધાં કામ થાય છે. આવા નવા વિચારની શરૂઆત ગુજરાતી વ્યક્તિએ કરી હતી.એની શોધ અને તે પછી એમાં સતત અપડેટ કરી આજે સસ્તા ભાવે આપણે ટેકનોલોજી સુધી પહોંચ્યા છીએ. આ માટે ભલે બધું સંભાળવું પડે. અહીં એક વાત નક્કી છે કે ટેકનોલોજીને જીવતા જીવન સાથે એમણે જોડી. એક વિચારક તરીકે એમણે આપણો દેશ ક્યારેય નહિ ભૂલી શકે . આજે એને હરવા ફરવાનો સમય નથી.સવારે આફ્રિકા તો બપોરે યુરોપ જી રાતે રોકાઈ એ જાપાન જાય. ગરીબ ઘરના એક સુથારનો આ દીકરો. સુરેન્દ્રનગર પાસે આવેલ ગામનો આ સુથાર આખી દુનિયામાં એવી શોધો માટેની પેટન્ટ ધરાવે છે જેના આધારે આજે આપણું જીવન આસન થયું છે. ભણવામાં સ્થિર એવા આ બાળકની આજે સમગ્ર વિશ્વમાં વાહવાહી અને દબદબો છે.   સેમ પિત્રોડા એક ઈજનેર છે. ટેલીકોમ્યુનીકેશન એન્જીનીયર તરીકે એમણે શિક્ષણ મેળવ્યું છે. શોધક અને ઉદ્યોગસાહસિક છે .તેમનો જન્મ ચોથી મે ૧૯૪૨માં થયો હતો. ઓડીશા રાજ્યમાં તીતલાગઢમાં જન્મ થયો. એક ગુજરાતી પરિવારમાં એમનો જન્મ થયો. ભારતના કમ્પ્યુટર અને આઈટી ક્રાંતિના પ્રણેતા તરીકે એમની ઓળખ છે. ભારતના તત્કાલીન યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીના તેઓ વિજ્ઞાન સલાહકાર હતા. ડૉ.મનમોહનસિંહના કાર્યકાળ

અનોખો જાદુગર

Image
  વોટર ઓફ ઇન્ડિયા દ્વારા દેશને ઓળખ આપનાર જાદુગર કેલાલ. સમગ્ર દુનિયાના જાદુગરના જાણે આજીવન માર્ગદર્શક. વોટર ઓફ ઇન્ડિયા ને બદલે વોટર ઓફ દુબઈ ન કહીને ત્યાના રાજાનું ઇનામ ઠુકરાવ્યું. જાદુકલા દ્વારા જાહેરાતો ન કરી કરોડો રૂપિયાની આવક જતી કરી.આવા અદના ગુજરાતી અને મેજીશીયન ઓફ યુનિવર્સ એટલે આપણા લાડીલા કેલાલ . આપણો દેશ. આઝાદી સમયે દુનિયામાં એક અચરજ વાળો દેશ. ભારત એટલે જાદુગરોનો દેશ. ભારત એટલે   મદારીનો દેશ. આપણા દેશમાં અનેક જાદુગર થયા. આમ છતાં આપણાં એક જાદુગર અલગ જ થયા.જેમણે ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યું. વાણિયાનો દીકરો પાછો જાદુગર બને. જાદુગર એવો કે દુનિયા એને ઓળખે. આવું સાંભળીએ ત્યારે ક્યારેક એવું બોલી જવાય કે એવું જ હોય. ગુજરાતના આ જાદુગર એટલે કે લાલ.એમનું સાચુ નામ કાંતિલાલ વોરા. તેઓ દુનિયાના મહાન જાદુગર તરીકે આજેય અજેય છે. તેઓ ગુજરાતી હોઈ આપણું ગૌરવ કહેવાય. આ અનોખા ગુજરાતી કે.લાલનો   જન્મ સત્તર જાન્યુઆરી 1924 ના રોજ થયો હતો. તેમનું સાચું નામ કાંતિલાલ.તેમના પિતા ગીરધરલાલ અને માતા   મુળીબેન.   અમરેલી જિલ્લાનું એક ગામ. ગામનું નામ બગસરા. આ ગામ આજે ધાતુના દાગીના માટે પ્રખ્યાત

લંકેશ તરીકે એક ગુજરાતીની વાત

Image
    સો પાંચસો માણસ આવવાની વાત હોય. અહીં પચાસ હજાર માણસો એકઠા થાય. લાખો હાથ એક સાથે તાલમાં શિવ તાંડવ સાથે તાલીઓ પાડે. ભારેખમ અવાજના માલિક લંકેશ શિવ તાંડવ ગાય.લોકોમાં અનેરી ઉર્જા આવે. ત્યારે ભાજપમાંથી રાવણ અરવિંદ ત્રિવેદી અને વડોદરામાંથી દીપિકા ચિખલીયા એટલે કે રામાયણનાં સીતાજી સંસદ સભ્ય હતાં. જેને ભગવાન માની પૂજા કરવાની હોય. એને જ ખરાબ ભાષામાં બોલવું પડે. આ સંવાદ સાંભળી લોકો વાહ વાહ કરે અને ભગવાનને ખરાબ બોલનારને વધાવી લે. આવું જ થયું આપણા ગુજરાતના ગૌરવ સમાન અભિનેતા અરવિંદ ત્રિવેદીની સાથે. ગુજરાતી ફિલ્મ અને નાટ્ય અભિનેતા અરવિંદ ત્રિવેદી હવે રહ્યા નથી. તેઓએ મુંબઈમાં જ તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા. એક જ પરિવારમાં બે ભાઈ. બંને ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ સાથે સમગ્ર દેશમાં ક્લાકાર તરીકે ઓળખાય. બંને ભાઈ રાજકારણમાં એટલા જ સક્રિય. અરવિંદ ત્રિવેદીના નાના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી. ગુજરાત સરકારમાં મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે આગવી ઓળખ. અરવિંદ ત્રિવેદી પણ બે વખત સાબરકાઠા બેઠકના સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા. આ કોલમના નામ ‘એવું જ હોય’ મુજબ અરવિંદ ત્રિવેદી રામાયણ સીરીયલમાં નાવિકના રોલ માટ