Posts

Showing posts from February, 2012

Italiyan opera music

Image
એક અનોખો સંગીત પ્રકાર... ઓપેરા એટલે સંગીત.આ સંગીતની સાથે જ ચોક્કસ નિયમો સાથેનો અભિનય પણ હોય.આમ ખાસ સંગીત અને અભિનયનો સંગમ એટલે ઓપેરા.ઈટાલી એટલે અનોખી સંસ્કૃતિનો પ્રદેશ.ઇટાલિયન ઓપેરા ઇન મ્યુઝિકના નામ પરથી આ કલાનો  વિકાસ થયો હોઈ તેણે ઓપેરા સંગીત કહેયાય છે.આ કળા પણ સંગીતની ભાષામાં લખાયું છે.તેનો અભ્યાસ કરવો એટલે જ ખૂબ કપરો છે.તેણે સમજવામાં ખૂબ મુશ્કેલી વરતાય છે. ગ્રીક નાટકોને જીવતા કરવા અને તેના બચાવ માટે આ પ્રકારની શોધ થઇ.૧૫૮૨માં ગ્રીક નાત્યને પુનર્જીવિત કરવા અનેક લોકો જોડાયા હતા.આ પ્રકારમાં શબ્દો અને સંગીત બધું જ હતું.સૌથી પહેલું ઓપેરા હતું ડોફની.૧૬૦૭માં રજુ થયેલું ઓરફીયો હજુ આજે પણ એવુંજ ભજવાય છે.૧૬૩૭માં  દુનિયાનું પહેલું ઓપેરા હાઉસ બન્યું હતું.આજે પણ તેનું ગૌરવ અકબંધ છે.ઇતલીમાથી ઓપેરા ફ્રાંસ અને જર્મનીમાં ફેલાયું.રોસીની,વરદી,પુસીની,મોઝાર્ટ,વેગનર ઉપરાંત ગ્લીકા અને ચેકોસકી પણ એક નામ અને ઓળખ ધરાવે છે.બોરોદીન અને રીજ્સકી કોરસ્કાકોવ આ બધામાં વિશેષ સ્થાન શોભાવે છે.  

કંસારી અને પતંગિયા...

Image
 કંસારી અને પતંગિયા.સરખા જેવા જીવ.આ બંનેમાં ભેદ છે.પતંગિયા અને કંસારીને વિજ્ઞાનમાં લેપીડોપેર પ્રકારના જંતુ કહેવાય છે.આ બન્ને જીવ વચ્ચે ભેદ અને સરખાપણું છે.મારા એક મિત્ર જીતુભાઈ.તેમનું સાચું નામ જીતેન્દ્રભાઈ ઠક્કર.થોડા દિવસ પહેલાં તેમણે એક સરસ માહિતી લખી. કંસારી અને આવા અનેક જીવડાઓને  હિન્દીમાં  પરવાના કહેવાય છે.શમા પે પરવાનાને નામે અનેક વાતો ચાલે છે.અહીં આવું પ્રેમ જેવું કશું નથી.આ પરવાના દીવાની જ્યોત તરફ આકર્ષણ ધરાવતા નથી.પણ તે આ જ્યોતને લીધે તેમની દીશા ચૂકી જાય છે.હા આ પરવાના પ્રકારના જીવડામાં દિશાસૂચક હોય છે.આ જીવડાં સૂરજ કે ચંદ્રના પ્રકાશનો  ઉપયોગ દીશા સૂચક તરીકે કરે છે.આ કારણે તે દીવાની જ્યોત તરફ આગળ વધે છે.  દીવામાં બળીમરતા જીવ કંસારી  હોય છે.પતંગિયા દિવસે જ નીકળે છે.પાંખ ઊંચીરાખીને બેસે છે.તેના સ્પર્શક પર ટોચ હોય છે.તે પતંગિયાના માથાના ભાગે હોય છે.કંસારી રાતે જ નીકળે છે.તે પતંગીયા જેવી તેજસ્વી નથી.કંસારી તેની પાંખો શરીર સાથે ચોટાડીને બેસે છે.કંસારીને સ્પર્શકમાં પીંછાં અથવા શાખાઓ હોય છે.    

કબૂતરની ઝડપ કેટલી?

Image
કબૂતર એટલે કબૂતર.પ્રેમની નિશાની.શાંતિની નિશાની.ખાસ દિવસોએ જેમ કે સ્વતંત્રતા દિવસ કે એવા જ દિવસોએ  સફેદ કબૂતરને આકાશમાં છોડવામાં આવે છે.એક ચેનલ પર મેં જોયું હતું.એક માફિયા નેતા જેલમાં હતા.તેમના ઉપર હજુ સુધી આરોપ સાબિત થયા ન હતા.તેઓ જેલમાં રહી ચુંટણી જીત્યા હતા.સરકાર બનાવવામાં તેમના મતની જરૂર પડી.આ માફિયા નેતાએ સરકાર બચાવી.અને સરકારે આ માફિયા નેતાને.હા,આ નેતા જયારે જેલમાંથી મુક્ત થયા ત્યારે સફેદ કબૂતર છોડવામાં આવ્યા હતા.આ કબૂતરને કોઇતો પકડતું હશે ત્યારે આ નેતાઓ તેમને મુક્ત કરેને...! મને ક્યાંકથી ફોટો મળ્યો.સફેદ કબૂતરનો.મેં ફેઈસબુકમાં શેર કર્યો.થોડી કોમેન્ટ આવી. કબૂતર જા..જા...જા... કબૂતર જા..જા...જા...જેવા પ્રસિદ્ધ ગીત થી લઇ સ્વીટ...જેવી સ્વીટ કોમેન્ટ ઉપરાંત પંખી બની ઉડી જઈએ જેવા બાળ ગીત સુધીની વાત મળી.મને આ બધી જ કોમેન્ટ ગમી.બપોર થતામાં ફોન આવ્યો.ફોન મોરબીથી હતો.પ્રશ્ન હતો...’ભાઈ,આવડું આ કબૂતર કેટલુંક ઝડપી ઊડે?’સરસ ફોટાની બધી જ કોમેન્ટ અને ફોન પણ ગમ્યો.તેનો જવાબ પણ આપું છું. કબૂતર એક કલાકમાં સરેરાશ ૪૦ કિલોમીટર ઉડી શકે છે.આ ઝડપથી તે સતત ઉડીને ૫૦૦ થી ૭૦૦ કિલોમીટર અંતર કાપી શકે છે

આકાશ કેમ વાદળી?

Image
એક છોકરીએ મને પૂછ્યું.સર...આકાશ કેમ વાદળી છે.આ છોકરીનું  નામ જૈના.તે સાતમાં ધોરણમાં ભણે.મેં તેણે એક જવાબ આપ્યો.જે આપને માટે પણ લખું છું.આપનું સૂચન હોય તો જણાવશો. પૃથ્વીને ફરતે અનેક વાયુઓ છે. તેમાં ઓક્સિજન,નાઇટ્રોજન,અંગારવાયુ,જળબાષ્પ અને રજકણો હોય છે.આ બધા વાયુઓ અને રજકણો વાતાવરણમાં હોય છે.દિવસ હોય તો સૂરજદાદા પણ હાજર હોય.આ સૂરજનો પ્રકાશ વાયુ કે વાતાવરણના હિસ્સાને સ્પર્શે ત્યારે આ પ્રકાશનું વિવિધ રંગોમાં વિભાજન થાય છે.આ રંગોને આપણે મેઘધનુષના રંગ તરીકે ઓળખીએ છીએ.આ રંગ તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો.લાલ...નારંગી...પીળો...લીલો...નીલો(આસમાની)...વાદળી...અને જાંબલી...આ રંગો સાત હોય છે.પણ મુખ્ય રંગ ત્રણ જ છે.લાલ,પીળો અને વાદળી.બાકીના બધાં જ રંગો આ ત્રણ રંગથી જ બને છે.મેઘધનુષ્યના રંગોને પણ જોઈએ.આ પૈકીના રંગોમાંથી ચાર રંગો એવા છે જેમાં વાદળી રંગ કે તેની મદદથી બનતા રંગ છે.જેમાં લીલો (વાદળી અને પીળો)વાદળી...નીલો...(વાદળી અને સફેદ)જાંબલી(વાદળી અને લાલ)આ સાત રંગોમાં વાદળી રંગ વધુ પ્રમાણમાં હોઈ આકાશ વધારે વાદળી દેખાય છે.સાંજ પડે ત્યારે જ્યાં જે રંગ વધારે હોય તે દેખાતો હોઈ આકાશ લાલ દેખાય છે.આ

સુરખાબ...

Image
પ્રેમ હોય તો ના ડર હોય છે , આમતો ... સુરખાબને પણ ક્યાં ઘર  છે ? સુરખાબ . ગુજરાતનું રાજ્યપક્ષી . પરદેશથી આવતું પક્ષી . લાખોની   સંખ્યામાં આ ઋતુમાં ગુજરાતમાં આવતું પક્ષી . અનોખી અને સહજ સુંદરતા . કોઈ જ પ્રકારના આડંબર વગરની સુંદરતા . પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર , અમદાવાદ ધ્વારા એક સરસ કામ થયું છે . સુરખાબના પ્રવાસ દ્વ્રારા ગુજરાતનો અનોખો પરિચય આપ્યો છે . ગુજરાતના ગૌરવ સમાન એવી સંસ્થા જે વૈશ્વિક કામ કરતી હોય . પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું આ ક્ષેત્રમાં ખૂબ મોટું કામ છે . હમણાંજ આ સંસ્થાના શ્રી કાર્તિકેય સારાભાઈને પદ્મશ્રી સન્માનથી નવાજયા . એક વર્કશોપમાં હું તેમણે મળ્યો છું . હુંપર્યાવરણના પાઠ્યપુસ્તકના લેખન વખતે મળી શક્યો હતો . આજે મને આ ફોટો મળતાં લખવાનું થયું . પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર , થલતેજ અમદાવાદ ખાતે છે . આ સંકુલનું ખાસ મહત્વ છે . દરેક ઓફીસ અને તેની બારીમાંથી આપણે એક ઝાડ જોવા જ મળે . જયારે આ જગ્યા ફાળવી ત્યારે અહીં એક ટેકરો હતો . આ ટેકરા પર આવેલી છે આ સંસ્થા .

ઈસપની વાત...

Image
અનેક વર્ષો પહેલોની આ વાત છે.જૂના ગ્રીકમાં એક ગુલામ હતો.તેનું નામ ઈસપ.તે ખૂબ કદરૂપો માણસ હતો.પણ તેની પાસે વાર્તા કહેવાની કળા હતી.તે ખૂબ જ રોચક રીતે બોધકથાઓ કહેતો હતો.ઈસપ ખૂબ જ  અવલોકન કરતો.આ અવલોકનમાં તેણે જે દેખાય તેની બોધકથા કહેતો.જ્યાં માણસ હોય ત્યાં તે પ્રાણીનું નામ કહેતો.જેમ કે ‘એક લુચ્ચું શિયાળ હતું.’ખરેખર ત્યાં કદાચ કોઈ માણસ હોય.આવી વાતોથી તે અમર થયો.રોજ સોનાનું ઈંડું આપતી મરગીની વાત છે જ.આજ રીતે વાઘ આવ્યો રે વાઘ, સસલું અને કાચબો... આ અને આવી  અનેક વાર્તાઓ  આજે પણ પોતાની રીતે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે.એવી ઘણી ઈસપની વાર્તા છે જે આજે આપણે કહીએ છીએ અને બાળકોને આપની વાત મનવાવા આ વાર્તાઓ આપણા એક અદના સાથીની ગરજ સારે છે.ચાલો આવી વાર્તાઓ એકઠી કરીએ અને ઇસપને યાદ કરી આપણાં બાળકોને કહીએ.

આપનો સવાલ મારો જવાબ....

Image
હું નિયમિત બ્લોગ અપડેટ કરું છું.આ કામ મને ખૂબ ગમે છે.મારો બ્લોગ નવું વિચાર લાવવા માથે છે.કદાચ આ વિચાર નવો  ના હોય.એક અભિનવ વિચાર જે મને ગમે...મને વિચારતો કરે તેવી જ વાત હું લખું છું.વચ્ચે મેં કેલેન્ડર વિશે લખ્યું હતું.આ વાંચીને કોઈએ મને કહ્યું કે દરેક મહિના વિશે લખો.જેમ દરેક નામ કોઈક અર્થ આપે છે.અંગ્રેજી,ગુજરાતી કે કોઈ પણ કેલેન્ડરના  મહિનાના નામ પાછળ કોઈ વાત હોય છે.આવું ખૂબ લખેલું ભેગું કર્યું.મારી જોડે માહિતી હતી.થોડી શોધી.બધું ભેગું કર્યું ભેગું કરીને લખ્યું.લખેલું બધું મઠાર્યું.થોડુ કોઈને પૂછ્યું અને હવે... આ માહિતીને યોગ્ય રીતે આપની સામે મુકવા પ્રયત્ન કરું છું. ૧ લી જાન્યુઆરી: આપણા માટે આ અંગ્રેજીનો પહેલો મહિનો છે.નવા વર્ષનું આ પ્રવેશ દ્વાર.આ નામ પડ્યું રોમના દેવતા જાનુસના નામથી.જાનુસ બારણાં અને દરવાજાના દેવતા છે.જાનુસદેવ માટે દંતકથા છે કે તેમને ભૂતકાળ અને ભવિષ્યકાળનું માથું દેખાતું હતું.રોમાને કેલેન્ડર ગ્રીકો પાસેથી અપનાવ્યનું ઇતિહાસમાં કહેવાયું છે.આ વર્ષ ૩૦૪ દિવસનું હતું.આ કેલેન્ડરમાં દસ મહિના હતા.જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના રોમના રાજા નુમા પોમ્પીલિયસે ઉમેરેલા.પણ તે વખતે

દીકરી પાછળ માનું નામ...

Image
તેઓ પરણેલાં નથી.પરણેલા નથી છતાં તેમને એક   દીકરી છે.આ અપરણિત માતાનું નામ રેખાબા. સામાજિક રીતે ખૂબ જ કદાપ અને ચોક્કસ નિયમોથી બંધન ધરાવતા સમજમાં આવું બન્યું. તેમનો સમાજ ખૂબ જ રૂઢ.એક નોખા અને ચુસ્ત સમાજનાં રેખાબા સરવૈયા.આ સમાજમાં ખૂબ ઓછી મહિલાઓ ભણી છે.તેમની દીકરીનું નામ તેનું નામ છે.અભિજ્ઞા રેખાબા સરવૈયા.આ નામ અભીજ્ઞાનું છે.હા,પુરુષ પ્રધાન સમાજમાં સૌની નઝર આ છોકરી અભીજ્ઞા ની પાછળ લખેલા તેની માતાના નામ પર છે.સમજ વ્યવસ્થા પ્રમાણે તેવું જ હોય.પણ... હા , અભિજ્ઞાના નામની પાછળ તેની   મમ્મીનું નામ છે. રેખાબા સરવૈયા.આ વાતમાં કોઈ પાત્રનું નામ કે તેની ઓળખ ખાનગી નથી.કશું અહીં કાલ્પનિક નથી.જે છે તે હકીકત છે.રેખાબા સરવૈયા.એક ઉત્તમ સર્જક છે.અખંડાનંદ,મુંબઈ સમાચાર અને અન્ય જગ્યાએ લખ્યું.ગુજરાતી સાહિત્ય અકાદમી ધ્વારા તેમના સર્જનને પારિતોષિક પણ મળ્યું છે.’રેતી પર લખાયેલ અક્ષરો’ને સાહિત્ય પારિતોષિક મળ્યું છે.આ રેતીય અક્ષરોની વાત ફરી ક્યારેક.અત્યારે તેના સર્જકની વાત કરવી છે.એક ઉત્તમ વક્તા અને ઉદઘોષિકા , સંશોધન અને સંશોધક.શ્રેષ્ઠ નિબંધકાર , ઇસરોનો નેશનલ એવોર્ડ મેળવનાર નિષ્ઠાવાન અ

શિવાજીની સમજ...

Image
શિવાજી આપણું ગૌરવ.આપણું અનોખું ગૌરવ.એક વિચારક અને એક અનોખા આગેવાન.આપણું ઘડતર કરનાર શિવાજીનું ઘડતર તેમની માતાને અભારી હતું.ઇતિહાસમાં શિવાજીનું હાલરડું આજે પણ આપણે ગૌરવ સાથે ગાઈએ છીએ.આ શિવાજી ખૂબ સારા અવલોકન કરનાર હતા.તેમની આસપાસનું જોઈ ખૂબ જ ઝડપથી તેનાં વિશે સમજી જતા.આવો જ એક બનાવ ઇતિહાસમાં નોધાયો છે.ઇતિહાસમાં નોધાયું છે કે,શિવાજી અને સુલતાન આદીરશાહ એક બીજા સામે લડતા હતા.જે વિજેતા થાય તેના હાથમાં રાજ આવે.એક બીજાને હરાવવા તેઓ બધું જ કરતાં હતા.આ સુલતાને નુંરખાનને તૈયાર કરી દીધો.આ નુંર્ખાનની મોટી જવાબદારી હતી.નુંરખાનની જવાબદારી શિવાજીને મારવાની હતી. શિવાજી પણ કઈ નાના લડવૈયા ન હતા.તે પણ પોતાનું બધું જ જોર લગાવીને લડતા હતા.સુલતાનને ખબર હતી .શિવજીને મારવા કોઈ કાચોપોચો માણસ ના ચાલે.નુરખાન પસંદ થયો.સુલતાને શરત કરી.જો તુ તારા ભાઈને મારે તો જ હું તને આ કામ આપું.પોતાના બાદશાહને રાજી રાખવા નુંરખાને એવું કરી દીધું. તેના ભાઈને મારી પોતાની વફાદારીની સાબિતી આપી.હવે આ નુરખાન ગયો શિવાજીના ગઢમાં. અહીં તે મરાઠાનો વેશ લઈને ફરતો હતો.મરાઠા બની તે શિવજીની સેનામાં પણ જોડાઈ ગયો.આ અગાઉ પણ શિવાજી