એક સારો શિક્ષક.એક સંશોધક અને પ્રેરક હોય છે.બાળકોમાં ભિન્નતા હોય છે.આ નોખા બાલદેવો માટે એક જ પ્રક્રિયા શક્ય નથી.આ માટે નવતર પ્રયોગો કરવાજ પડે.આવા નવતર પ્રયોગો થકી જ શિક્ષણ પ્રક્રિયા રસપ્રદ અને બાળભોગ્ય બને છે. શિક્ષણ દરમિયાન જ્યાં સમસ્યા છે , ત્યાં નાવાચાર માટે અવકાશ છે.સંભાવનાઓ છે.સગવડના અભાવે , પડકાર ધરાવતી સુવિધા વચ્ચે કામ કરી પરિણામ પ્રાપ્ત કરવું તે પ્રક્રિયા એટલે નાવાચાર.આઇઆઇએમ , અમદાવાદ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) ધ્વારા નવતર શિક્ષકોની શોધનું કામ ચાલુ છે.આ પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે. ગુજરાતના અને દેશના ખૂણે ખૂણે બેઠેલા અને ધૂણી ધખાવીને કામ કરતાં અનેક શિક્ષકોને અહીં સમાવવામાં આવ્યાં છે.કન્યા કેળવણી , ગણિત , વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપરાંત શાળા અને સમાજને સાથે જોડાવાના અને તેના માધ્યમથી ગુણવત્તાલક્ષી કામ કરનાર અનેક છે. અનેક પરિણામ લક્ષી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર શિક્ષકોની વિગતોનો અહીં સમાવેશ કરવામાં આવેલ છે.મહારાષ્ટ્રમાં ‘સ્ટેટ ઇનોવેશન અને રીસર્ચ ફાઉન્ડેશન પણ આ કાર્યમાં મહારાષ્ટ્રના શિક્ષકોને શોધવાનું કામ કરે છે.તેઓને આવા નવતર શિક્ષક