Posts

Showing posts from December, 2021

વિદેશમાં છતાં દેશના ક્રાંતિવીર.

Image
શ્યામજી કૃષ્ણવર્મા:વિદેશમાં રહી ભારતની આઝાદી માટે વિશેષ કામ કરનાર ક્રાંતિકારી.                 આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ , ભારતના ક્રાંતિવીર એવા શ્યામજી કૃષ્ણવર્મા વિશે. ભારતના મહાન શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ ૪ ઓકટોબર , ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો.તેમના પિતાનું નામ કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) અને માતાનું નામ ગોમતીબાઈ હતું. તેમના પિતા કરસનજી વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા.૧૧વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવીમાં અને માધ્યમિક શિક્ષણ ભુજમાં તથા મુંબઈની વિલ્સન હાઇસ્કુલમાં અંગ્રેજી અભ્યાસની સાથેસાથે તેમણે સંસ્કૃતમાં પણ અભ્યાસ કર્યો.           ત્યારબાદ એલ્ફિસ્ટન હાઈસ્કુલમાં અભ્યાસ માટે જોડાયા.ઈ.સ.૧૮૭૪માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બન્યા.તેમની શિક્ષા દીક્ષાથી શ્યામજી કૃષ્ણવર્મામાં ક્રાંતિના બીજ રોપાયા.શ્યામજી કરસનજી ત્યારપછી શ્યામજી કૃષ્ણવર્મા તરીકે જાણીતા બન્યા.સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા.આર્ય સમાજના પ્રચાર માટે તેમણે મુંબઈ ,

શતાવરી એક અનોખું ઔષધ.

Image
એના અનેક નામ છે. એના અનેક કામ છે. અનેક એવા દર્દ માટે એ વપરાય જેનો કોઈ ઈલાજ નથી. સરળ છતાં ઔષધ તરીકે ઉત્તમ આ શતાવરી વેચનાર ભળતું વેચે છે. મિક્ષ કરે છે. આ કુદરતી દેન છે. એમાં કુદરતનો વાસ છે. આવા ઔષધનો શિયાળામાં ખૂબ ઉપયોગ થાય છે. જેને શતાવરી , શતાવરી પાક , શતાવરી ક્ષીરપાક કહેવામાં આવે છે. શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા , પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે. શતાવરીની બે જાતો થાય છે : (૧) મહા શતાવરી    (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દ

જંગલી નહિ એવો જંગલનો માણસ.

Image
  કુદરતને પરેશાન કરીએ તો કુદરત કોપાયમાન થાય.