એક શહીદની વાત
આપણો દેશ ગુલામ હતો . આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું.આ તે સમયન વાત છે . ગાંધીજી એ આપણા દેશ ને આઝાદ કરાવવાની લડત ચલાવી હતી . ગાંધીજી આ લડત ને સ્વરાજ્ય કે પોતાના રાજ્યની લડત તરીકે ઓળખાવતા હતા . આખા દેશમાં સ્વરાજની લડત ચાલુ હતી . એ વખતે સમાચારપત્રો , ટી . વી . કે જાહેરાતોની આજના જેવી સુવિધા ન હતી . તે જમાનામાં અંગ્રેજો સામે લડવામાં અનેક લોકો આગળ આવતાં હતા . ગામ કે શહેરમાં જાહેરાતો કરવી . લોકો ને પોતાના શાસન અંગે સમજાવવા પડતા હતા.અંગ્રેજો ની સરકાર સામે તે વખતે હાથે લખેલી કે છાપેલી પત્રિકાઓ વહેંચવી,આ પત્રિકાઓ ને બધાં વાંચી શકે અને ચીપકાવતા કોઈ અંગ્રેજ અધિકારી જોઈ ન જય તે રીતે પાટિયા ઉપર ચીપકાવવી એ પ્રચારની મુખ્ય કામગીરી રહેતી.આવી ગોરી સરકારની વિરુદ્ધમાં છપાએલી પત્રિકા અંગ્રેજ સરકાર જપ્ત કરતી. લોકોને દેશની આઝાદીની લડતમાં સામેલ કરવા માટે સમજાવવાની જવાબદારી અનેક લોકો જાતે ઊઠાવતા હતા . ગાંધીજીના દરેક કાર્યક્રમને આ રીતે આખા દેશમાં ફેલાવવામાં આવતો હતો . આ માટે સ્થાનિક વિસ્તારના અનેક લોકો પણ ગાંધીજીને પોતાની રીતે સહયોગ આપતા હતા . તે સમયે સાબરકાંઠા અને હાલ અરવલ્લી જિલ્લાના મોડાસામ