કોરોનાના ફેલાવ માટે જવાબદારી કોની.
આજે કોરોના દરેક તબક્કે આપણ સૌને હંફાવી રહેલ છે. ફરીથી એક વખત કોરોના જાણે માથું ઊંચકી રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો સ્વયં આ મહામારી સામે લડત આપતા હતા. સરકારના પ્રયત્નો અને લોકોના ડરને કારણે કોરોના સામે લડતમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું હતું. સફળતા મળી પણ હતી. લગભગ ત્રણ મહિના જેવા સખત આયોજન અને અમલીકરણ પછી ધીરે ધીરે આપણે છૂટછાટ લઈ શક્યા હતા. સૌને એવું હતું કે હાથ ધોવાથી અને માસ્ક પહેરવાથી આપણને ચોક્કસ રાહત મળી છે. આપણે આ જ બાબતે આગળ વધી કોરોનાને હરાવવામાં સફળ થઈશું. આટલું થયા પછી લોકો ધીરે ધીરે આ સમસ્યા ભૂલવા લાગ્યા. જે દેશમાં શૌચાલય અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકારે કરોડો રૂપિયા જાહેર કરવા પડતા હોય છે. આ સંજોગોમાં માસ્ક અને હાથ ધોવા માટે લોકોને જાગૃત કરવા જ પડે. સરકારે એવું જ કર્યું. માસ્ક ન પહેરે તેને દંડ અને સજાની જોગવાઈ કરી. લગ્ન કે મરણ જેવા પ્રસંગોમાં નક્કી કરેલ સંખ્યા જ હાજર રહે અને તેય ચોક્કસ રીતે પોતાની અને અન્યની જાળવણી માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ શરત તો ખરી જ. અહીં વાત એ નથી કે આ રોગ હજુ કાબુમાં આવ્યો નથી. અહીં વાત એ છે કે આ માટે જવાબદાર કોણ? લગ્ન કે મરણ જેવી ઘટના