Posts

Showing posts from October, 2011

વાંદરાભાઈ એ કર્યો વિચાર...

Image
         વાંદરાભાઈ એ કર્યો વિચાર,ભણવા જઈએ ચાલો નિશાળ. કર્યો વિચારને ગયા નિશાળ,વાંદરાભાઈ તો ખૂબ હરખાય.                                 વાંદરાભાઈ એ કર્યો વિચાર. આગળ પાછળ માંખીઓ આવી.વાંદરાભાઈ  ખૂબ શરમાય. શરમાઈનેએ પાછળ જાય,અહીંથી વાંદરોતો ઘરે ભાગી જાય.                                 વાંદરાભાઈ એ કર્યો વિચાર. બીજા દિવસ વહેલા જાગી,નાહી ધોઈને વાંદરો ગયો  નિશાળ. ખૂબ હરખાય,ખૂબ શરમાય,ભણી ગણીને તે વાંદરો મોટા થાય.                                 વાંદરાભાઈ એ કર્યો વિચાર.

નોખા અનોખા

Image
માત્ર દસ ધોરણ પાસ આ માણસની કુનેહ અને આવડતને લીધે તે આજે ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે વી ટી.વી.નું સંચાલન કરી રહ્યા છે. ગુજરાત કાયમ અનોખી ભાત પડે છે.આવી નવી ભાત પાડનાર  શ્રી સતીશભાઈ મોરી.ગુજરાતની પ્રથમ HD.ચેનલ શરુ કરવાનું ગૌરવ ધરાવતા શ્રી મોરીને થોડા દિવસો પહેલા રૂબરૂ મળવાનું થયું.હું અમદાવાદ હતો.અમે તેમણે મળ્યા.માત્ર દસ ધોરણ પાસ આ માણસની કુનેહ અને આવડતને લીધે તે આજે ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે વી ટી.વી.નું સંચાલન કરી રહ્યા છે. શિક્ષન અને સંસ્કાર માટે બધુજ કરી છુટવાની વાત કરનાર સતીશભાઈ એ મને શિક્ષણમાં અનોખું કામ કરતા માણસોની એક સીરીજ બનાવવાની વાત કરી.મેં તેમણે આ માટે મારી સહમતી આપી.થોડા સમય પછી આ નવી ગુજરાતી સમાચાર ચેનલ માં મારા અને તમારા મિત્રો દેખાશે. innovation is most in education. ગુજરાત સરકારે કમિશન બનાવ્યું છે.આઈ.આઈ.એમ.ધ્વારા પણ ભારતમાંથી innovative teachers પસંદ કરી ચુકેલ છે.આ યાદીમાં મારી સાથે ગુજરાતના અનેક મિત્રો પણ હતા.આવા ગુજરાતમાં હાલ વીસથી બાવીસ મિત્રોને હું ઓળખું છું.મારે વી ટી.વી.માટે બાવન એપિસોડ બનાવવા છે.જો આપ આવા મિત્રોને ઓળખતા હોવ અથવા આપનું શિક્ષ

બાકી એબોશ.....

Image
આજે ગાંધીજી  અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી.આપના દેશમાં ભ્રષ્ટ્રાચાર વચ્ચે આ મહાનુભાવોની વાત કરાવી ગમે છે.નેતાઓ પણ ભ્રષ્ટાચારનો વિરોધ કરતા હોય છે.હા તેમના નામે આવી વાત આવે એટલે કહે આ તો વિરોધ પક્ષ કે કોઈ ની ચાલ છે.         નવરાત્રી ચાલે છે.ખેલૈયાઓને મોજ કરવાનો ઉજાગરો.કલાકારોને કમાવવાનો ઉજાગરો. વેપારીઓને ધંધો કરવાનો ઉજાગરો.પોલીસને કાયદો સાચવવા ઉજાગરો.આ બધાના ઉજાગરા વચ્ચે મોઘવારીમાં ભ્રષ્ટાચારનો સામનો કરતા કરતા આપના સૌનો  ઉજાગરો.કહેવાય છે કે ગાંધીજી પણ બજાજ પરિવાર અને તેવા અનેક મોટા બિઝનેસ જૂથો સાથે જોડતા.હા તેમના જીવનમાં,આર્થિક બાબતોમાં આ બિઝનેસ વાળા સહયોગી હતા.આજના નેતાઓની જેમ તેમના પર નિર્ભર ના હતા. નરોત્તમ મોરારજીના અવસાન પછી તેમના પુત્ર શાંતિકુમાર ગાંધીજી સાથે રહ્યા. એક વખતની વાત છે.શાન્તીકુમારે બાપુના હાથ અને પગ ની કંકુમાં પલાળી તેની છાપ આપવા બાપુને વિનંતી કરી.બાપુ કહે મારા પગની છાપ બધાં પાછળથી પૂજામાં વાપરે.મારે મારા હાથ અને પગની છાપ નથી આપવી.બાપુ શાંતિકુમાર સાથે રહેતા હતા.આર્થિક રીતે અનેક વખત તેમાની મદદ મળતી હતી.બાપુએ તેમના હાથ અને પગની છાપ ના આપી.શાન્તીકુમારે ફરી