આલોક સાગર(aalok sagar)
આજે વાત કરી રહ્યા છીએ તે પહેલી નજરે જોતાં તો કોઈ વનવાસી જેવા લાગશે. હા, તે અંતરિયાળ વિસ્તારમાં જ રહે છે. તેમની હકીકત જાણીને તમે પણ ચોંકી જશો. વાત છે આલોક સાગર વિષે જેઓ IIT દિલ્હીથી ભણેલ છે. છેલ્લા 33 વર્ષથી તેઓ મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં જીવન જીવી રહ્યા છે. જીવનમાં એશો આરામ છોડીને તેઓ જીવન પસાર કરી રહ્યા છે. આલોક સાગરે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી, તેઓ 1977માં યુએસ ગયા, જ્યાં તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. આ દરમિયાન તેમણે પોસ્ટ ડોક્ટરેટ અને કેનેડા સ્થિત ડેલહાઉસી યુનિવર્સિટીની સમાજશાસ્ત્ર વિભાગમાંથી ફેલોશિપ પણ મેળવી. ત્યાંથી અભ્યાસ પૂરો કરીને તેઓ IIT દિલ્હીમાં પ્રોફેસર બન્યા. જોકે, અહીં તેમનું મન ન લાગ્યું અને પછી નોકરી છોડી દીધી. આલોક સાગરના પિતા સીમા શુલ્ક ઉત્પાદન વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમનો એક નાનો ભાઈ અંબુજ સાગર IIT દિલ્હીમાં પ્રોફેસર છે. એક બહેન અમેરિકા કનેડા માં તો એક બહેન જેએનયુ દિલ્હી ખાતે કાર્યરત છે. આલોક સાગર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના ગુરુ છે. તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન છે તેમ છત