પંડિત અને બાવો
એક હતો પંડિત અને એક હતો બાવો.તેઓ એક સાથે મુસાફરી કરતાં હતા.મુસાફરીમાં પંડિત જી અને બાવાના બધાં જ પૈસા વાપરી ગયા. ઉનાળાના દિવસો હતા. ખરો બપોર થયેલો પણ પાણી ન મળે , તેમને ભૂખ પણ લાગેલી. બેઉને ભૂખ અને તરસ લાગી હતી.જીવ કચવાતો હતો.તેઓને થાક લાગવાથી તેમના પગ લથડતા હતા.તેઓ ધીરે ધીરે ચાલતા હતા.સામેથી તેમણે એક વાણિયો આવતો જોયો.વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખથી પરેશાન હતો. આ બધાં જ એક ઝાડ નીચે બેઠાં.બધાની તકલીફ સરખી હતી. બધાં એ વિચારી લીધું. ‘આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ પણ ખૂબ જ લાગી છે.હવે રહેવાતું નથી. હવે શું કરવું? થોડો સમય વિચાર કરી તેઓએ તરકટ કરવાનું વિચારી લીધું.આ રીતે તેઓ તરકટ કરી ને કંઈક ખાવા-પીવાનું શોધવાનું વિચારતા હતા.તેઓએ સરખા ભાગે જમવાનું વહેંચી લેવાનું આયોજન કરી લીધું હતું. જે જડે તે સૌનું સરખા ભાગે. આવું વિચારી તેઓ ચાલતા ચાલતા શેરડીનું ખેતર પાસે આવી ગયા. પંડિત કહે : ‘ ઊભા રહો. હું ખેડૂતને વાતમાં છેતરી તેના ખેતરમાંથી શેરડી લઈ આવું છું. ’ પંડિત તો અંદર ગયો. ‘ જાય ભગવાન બોલી ખેડૂતણી પાસે ગયો. તેણે ભગવાન અને દાન વિશે વાત ક