મિર્ચીના નાવેદને સલામ.
ભારત...કાશ્મીર...ગુજરાત...પાટીદાર....દલિત અને મનોરંજન.હા,આ બધા એક મંચ ઉપર છે.સૌને એક સાથે આ જ મુદ્દે જોઈ શકાય.આ મુદ્દો છે પાકિસ્તાનનો વિરોધ અને કાશ્મીર.વાત એમ બની કે સ્વ.જવાહરલાલ નહેરુથી લઇ શ્રી નરેન્દ્ર મોદી સુધી જે ન બોલી શક્યા તે એક કલાકારે કર્યું.રેડિયો મિર્ચીના જોકી નાવેદે આ કામ કર્યું.ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા કરી નાવેદ વ્યક્તિ સાથે વાત કરે છે.તે વાતચીત પછી મિર્ચી પોતાના શ્રોતાઓને સંભળાવે છે.હા,આ વખતે નાવેદે કમાલ કરી બતાવી છે. નાવેદે ઊર્દૂ ભાષામાં પાકિસ્તાનના નેતા સાથે વાત કરી.આ નેતાનું નામ યાકુબ ખાન.બેનજીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા.યાકુબખાન પાકિસ્તાની રાજ કારણમાં મોટું નામ.યાકુબ બિલાવલ ભુટ્ટોના નજીકના વિશ્વાસુ નેતા.બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ છે. નાવેદ તેમને ફોન કરે છે.ફોન ઉપડે છે.સલામ દુઆ થાય છે.યાકુબ ફોન કરવાનું કારણ જણાવવાનું કહે છે.નાવેદ કહે છે: ‘એક છોકરાને મેં નાનપણથી ભણાવ્યો છે.હવે છોકરો મોટો થયો છે.’યાકુબખાન ‘હં ,એમાં હું શું કરું? મને કેમ ફોન કર્યો?’નાવેદ કહે છે. ‘મેં ભણાવેલો આ છોકરો તેના પિતાજી પાસે છે.હવે તે છોકરો મને આપતા નથી.મને છોક