શિક્ષણના હબમાં કઈ રીતે સફળ થવું?
શું કરું ને જાણું હું,આ જગતમાં વાતો.જ્ઞાન સિવાય કોઈ પણ વાતે મારે ના રાખવો નાતો. આપણો દેશ ભારત.અનેક ખાસિયત ધરાવતો દેશ.અનેક વિધતા ધરાવતા પ્રદેશ અને એવાજ લોકો.એક વખત અમારે કોઈ કામથી બિહાર જવાનું થયું.અમે બિહારની રાજધાની પટનામાં હતા.અહીં અમારા માર્ગદર્શક અને સાથી સુકુમાર મિશ્ર હતા.સુકુમાર એક એનજીઓ(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ છે.. અહીં તેમની સાથેનું અમારું કામ પુરું થયું.આમારી રીટન ટિકિટ હતી.અમારી પાસે સમય હતો.અમે સુકુમારજી ને કહ્યું: ’ અહીં નજીકમાં શું જોવા જેવું છે ?’ સવાલ સાંભળીને તે કહે: ’ શું કોઈ અભણ માણસ આખા ગામને ભણાવે તેવું તમારે જોવું છે ?’ મને મનમાં થયું કે કદાચ કોઈ ભૂવો કે મહંત હશે જે કશુંક કરી ગામના લોકોને છેતરતો હશે.પહેલાં તો અમે ના પાડી.સુકુમાર કહે આવું તમને ક્યારેય નહિ જોવા મળે.અને અમે તેમની સાથે જોડાયા. પટનાથી બસો કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં અકરોહી પહોંચ્યા.આ ગામ રામગઢ તાલુકામાં પડતું હતું. રામગઢ તાલુકો કૈમૂર જિલ્લામાં આવે.આ ગામ આખા પ્રદેશમાં ચોરો માટે ખ્યાતી ધરાવતું હતું.આખા ગામમાં કોઈ સરકારી મકાન કે સરકારનો માણસ ન હતો.આખા ગામમ