દિવાળી આગમન વખતે આદિવાસી સંસ્કૃતિ
દિવાળીનો તહેવાર આવે . સૌને ગમે . અનેક સારા અરમાન સાથે સૌ તેને આવકારે . આસપાસ બધે ચેતના પ્રગટે . વર્ષનો થાક , દુ : ખ , શોક સૌ ભૂલી જાય . સૌ નવી તાજગી સાથે દિવાળી વધાવે છે . આ દેશ વિવિધતા ધરાવે છે . ધર્મ , ભાષા , જાતિ , લિંગ કે આર્થિક ભેદભાવ નથી . હા તેમાં સરખાપણું પણ નથી . ગુજરાતનો ખાસો વિસ્તાર આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે . બનાસકાંઠા . પંચમહાલ , ડાંગ દાહોદ , અને આહવામાં આ અનોખી સંસ્કૃતિ જોવા મળે છે . હમણાં થોડા સમય માટે દાહોદ જવાનું થયું . અમારા લીડર તરીકે રાકેશભાઈ પટેલ હતા . આ વિસ્તારથી ખૂબ જ સારી રીતે તે પરિચય ધરાવે છે . અહીં એક ગરબાડા તાલુકો આવેલો છે . આ વિસ્તાર આદિવાસી વડપણ ધરાવે છે . અહીં દરેક તહેવારો પોતાની આગવી પરંપરા ધરાવે છે . દરેક તહેવાર વિશેષ રીતે ઉજવાય છે . આ વિસ્તારમાં પશુધન માટે પણ મોટે પાયે ખરીદી કરવામાં આવે છે . માણસની જેમ જ અહીં પશુઓને પણ મહત્વ આપવામાં આવે છે . પશુઓ માટે ઘુઘરા , મોરીગાં , કલર , ફુંદાની ખરીદી કરવામાં આવે છે . આ શણગારથી પશુઓને શણગારવામાં આવે છે . દિવાળીના દિવસે નૈવેધની વિધિ કરવામાં આવે છે . અહીં ઝાંપાની વિધિ કરવામાં આવે છે . આ વિધિ બે પ્