RUCHARMI અને ગમતી નિશાળ
શરૂઆતમાં આવા સાત બાળકો સાથે ડીસા ખાતે બગીચામાં એક શાળા ઉભી કરી. અન ફોરમલ શાળા અને એમાં આવતાં બાળકો પણ ફોરમલી સ્કુલમાં નહીં પણ, અમારા માટે આવતાં હોય એવા બાળકો હતા. ધીરે ધીરે ગમતી નિશાળ જમવા માંડી. આજે પાલનપુર ખાતે ડૉ.જીગર જોશી અને અન્ય સહયોગીઓ ધ્વારા આગવું સંકુલ તૈયાર થયું છે. આસપાસના બાળકો અહી કેળવાઈ રહ્યા છે.
ગમતી નિશાળનો એક જ નિયમ છે.
જે બાળકો પ્રવેશ માટે આવે એમણે અહીં સીધો પ્રવેશ આપવામાં આવે છે. કોઈ જ પ્રકારના ડોનેશન કે અન્ય આર્થિક લાભ વગર આર્થિક ભેદભાવ વગર અહીં પ્રવેશ આપવામાં આવે છે. અત્યારે જે બાળકો છે એમાંથી પાંચ બાળકો અનાથ છે. આ ઉપરાંત છ બાળકો ફી વગર અભ્યાસ કરે છે. નોરમલ બાળકો સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે. સંકુલના આ આગવા નિયમને સમજવા એટલું કહી શકાય કે,જે માવતર ને જેટલી ફી પોસાય એટલી ફી ભરીને એ બાળક શાળામાં એટલે કે ગમતી નિશાળમાં ગમતી ફી ભરીને બાળકો અભ્યાસ કરે છે. અહીં ફોટો જે છે એમાં દેખાતી બે દીકરીઓ ધ્વારા RUCHARMI ઇનોવેશનનું સંચાલન થાય છે. અત્યાર સુધીમાં એટલે કે ગમતી નિશાળ નામની પસંદગી થી શરુ કરી સંકુલ બન્યું ત્યાં સુધી આ દીકરીઓ ધ્વારા કાયમી સહયોગ મળ્યો છે.
Comments