અતો અને નતો:૮

સોનપરી ન આવી.

 રાત પડી.

નતો વિચારતો હતો.

શું કરું તો આજે નદી કિનારે જઈ શકું.

બસ, આ જ વિચારમાં એ બેઠો હતો. અતો આવી ગયો.અતો આવીને કહે: ‘નતા, શું વિચારમાં બેઠો છે? કેમ કશું બોલતો નથી?’ આ સાંભળી નતો કહે: ‘ મારે નદી કિનારે જવું છે. મને નદી કિનારે સોનપરી મળી હતી. એણે મને મદદ કરી એટલે જ હું ગોદામમાં દેખરેખ રાખી શકું છું. મારી આ સોનપરીને લીધે જ આજે ગોદામમાં નુકશાન થતું અટકાવી શકું છું.

નતાની વાત સંભાળીને અતો કહે: ‘તારી આ વાતતો મને આજે જ ખબર પડી. પણ, તું મને એ જણાવ કે આ વખતે તારે સોનપરીને કયા કામ માટે મળવું છે? આ સાંભળી નતો કહે: ‘આપણી વખારમાં મજુરો કામ કરે છે.આ મજુર અનાજની ગુણ ઉઠાવી છેક સુધી ચડાવે છે. પાછા પરત આવે છે. પરત આવી બીજી ભરેલી ગુણ ઊંચકે છે. આમ જે વખતે મજુરોને અનાજની ગુણ ઊંચકવાની થાય તે સમયે મને એમની દયા આવે છે.’

ખૂબ જ લાંબી વિગત નતો એક સાથે બોલી ગયો. આ બધી જ વિગત અતો સંભાળતો હતો. અટાણે થયું આ કામ માટે સોનપરી કેવી રીતે મદદ કરી શકે? અતા ને આ સમજાતું ન હતું. અતો નતાને કહે છે: ‘સોનપરી આપણ ને કેવી રીતે મદદ કરી શકે?’આ સાંભળી નતો કહે: ‘ સોનપરી ખૂબ જ દયાળુ છે. આપણે એને મજુરો અંગે વાત કરીશું એટલે એ આપણા મજુરો માટે ખાસ નવું વિચારશે અને આપણ ને જાણ કરશે. આવું વિચારી અતો અને નતો સાથે સાથે નદી કિનારે ગયા. ગઈ વખતે સોનપરી આવી હતી એ ઝાડ નીચે આવીને અતો અને નતો બેઠા હતા. ઠંડીના દિવસો હતા. આખીરાત અતો અને નતો ઠંડી હોવા છતાં આખી રાત બેઠા હતા. આખી રાત રાહ જોવા છતાં સોનપરી એમને મળવા આવી ન હતી.અતો અને નતો સવારે ઘર તરફ ચાલતા થયા એ સમયે તેઓ નિરાશ હતા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી