ઝભ્ભા વાળા:નીલમ પટેલ
શિક્ષક શું કરી શકે અને એનું શું પરિણામ થાય એ અંગે જો કોઈ વિચારે તો એ માટે નિલમભાઈ પટેલનું નામ સામે આવે અને પરિણામ પણ જોઈ શકાય. આપણાં જિલ્લાના આ શિક્ષકને સમગ્ર રાજ્યમાં ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને રસપડે એવી રીતે શીખવતાં શિક્ષાવતાં એમના કપડાં ઉપર જ વિવિધ વિષયોને આવરી લેવાય એવી રીતે એટલે શૈક્ષણિક ઝભ્ભો તૈયાર કરવામાં આવ્યો. ખાસ કરીને નાના ધોરણના બાળકો માટે એમને શીખવવા શરૂઆતમાં એક ઝભ્ભા ઉપર મૂળાક્ષરો અને શબ્દો લખ્યા. આવા કપડાં પહેરી શાળામાં ગયા તો બાળકોને મજા આવી.
બસ, પછી તો આવા અનેક ઝભ્ભા અને શર્ટ તૈયાર કરી નિલમભાઈ શિક્ષણ કાયને રસપ્રદ કરી શક્યા છે. જિલ્લા અને રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવને કારણે બારમી જુલાઈ 2022ના રોજ ધાર્મિક સંત અને કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે રાજ્ય કક્ષાનો સાંદિપની પુરસ્કાર પ્રાપ્ત થયો. નીલમ પટેલ આ ઉપરાંત અનેક સન્માન અને બહુમાન મેળવી અનોખી ઓળખ ઉભી કરનાર આપણાં આ ગુરુજી શૈક્ષણિક સાહિત્ય નિર્માણ અને તેને લગતી બાબતોમાં વિશેષ નિપુણતા ધરાવે છે.
આમ આપણાં જિલ્લાના આ નવતર ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખ ધરાવનાર નીલમ પટેલ વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે એવી આજે શુભકામનાઓ પાઠવી ગૌરવ અનુભવીએ છીએ.
Comments