કંગનાની બબાલ; પદ્મશ્રીમાં જ વિવાદ.


આ વખતના પદ્મશ્રીમાં બે માટે વધુ ચર્ચા છે.

એક સત્ય માટે પાકિસ્તાન છોડ્યુ. બીજીને પાકિસ્તાન મોકલવી જરૂરી છે.

કંગના બોલે એ ગમે પણ,ફિલ્મમાં. એજે ન બોલે એને સમર્થન કરનાર તૈયાર છે.એને સપોર્ટ કરનાર સૌ મૂર્ખ નહિ મૂર્ખના સરદાર છે. પાકિસ્તાનના સૈનિક કાઝી માટે કહીએ એટલું ઓછું. આ બે પદ્મ પુરસ્કાર પછી એ નક્કી કે સારા અને સાચને મળે એ બરોબર.સારી પ્રક્રિયા પરંતુ આવી ગાંડી માટે એ જ અધિકારીઓએ સ્વીકારવું જોઈએ કે ભૂલ થઈ.ભારત. વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ એટલે ભારત. ભારતના આમ જોઈએ તો ભાગલા પડ્યા. એક ભાગ  મહંમદઅલી પાકિસ્તાન ભેગા લઈ ગયા. આજે આ વાતોની આસપાસ જોડાયેલ કેટલીક બાબતો અને વર્તમાન વિવાદ અંગે વાત કરીશું.

વાત જાણે એમ બની.

બાંગ્લાદેશ ત્યારે પાકિસ્તાનનો હિસ્સો હતું. પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત કરવામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે પાકિસ્તાનની ચુનંદા પેરા- બ્રિગેડના(Member of Pakistan Para-Brigade) ભૂતપૂર્વ સભ્ય અને હવે બાંગ્લાદેશી લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) કાઝી સજ્જાદ અલી ઝહીરને સન્માનિત કર્યા છે. યોગાનુયોગ, લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ઝહીર 71 વર્ષના થઈ ગયા છે.જ્યારે ભારત અને બાંગ્લાદેશ યુદ્ધના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.ભારતીય બીર પ્રતિક, શૌર્ય માટે વીર ચક્રની સમકક્ષ અને બાંગ્લાદેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વાધિનતા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં(Indo-Pakistani War of 1971) ભારતની સફળતામાં તેમના યોગદાનને માન આપીને તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.સરહદ પાર કરતી વખતે કાઝી સજ્જાદ ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા20 વર્ષની ઉંમરે પાકિસ્તાનની યોજનાઓ અંગેના દસ્તાવેજો અને નકશા સાથે ભારત આવ્યા હતા. તે સિયાલકોટ સેક્ટરમાં તૈનાત પાકિસ્તાની આર્મીમાં એક યુવાન અધિકારી હતા અને પછી પૂર્વ પાકિસ્તાનમાં ક્રૂરતા અને નરસંહારને જોતા માર્ચ 1971માં ભારતમાં પ્રવેશવામાં સફળ થયા હતા.

સરહદ પાર કરતી વખતે તેના ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા. શરૂઆતમાં તેના પર પાકિસ્તાની જાસૂસ(Pakistani spy) હોવાની શંકા હતી. પરતું એકવાર તે ભારત આવ્યા પછી, પઠાણકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લશ્કરી અધિકારીઓ દ્વારા પાકિસ્તાની સેનાની તૈનાતી અંગે પૂછપરછ કરવામાં આવી હતી.ઝીણાનું પાકિસ્તાન કબ્રસ્તાન બની ગયુંપાકિસ્તાની સૈન્યનો મુકાબલો કરવા માટે મુક્તિ બહિનીને ગેરિલા યુદ્ધની(Guerrilla warfare) તાલીમ આપવા પૂર્વ પાકિસ્તાન જતા પહેલા તેને મહિનાઓ સુધી સલામત ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાંથી ભાગી જવાનું કારણ દર્શાવ્યું હતું કે, ઝીણાનું પાકિસ્તાન કબ્રસ્તાન બની ગયું છે. તેમની સાથે બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો જેમને કોઈ અધિકારો નહોતા. 

આવા વ્યક્તિત્વનું સન્માન દેશના દરેક નાગરિકને ગમે.               

હવે બીજી વાત. 

કંગના. એક અભિનેત્રી. જેમ અભિનેતા ફિલ્મમાં અભિનય કરતાં ગવાય પણ અને કોઈ ઇજા ન હોય. એવું જ કંગનાનું થયું. લક્ષ્મીબાઈનું ચલચિત્ર બનાવી કરોડો કમાયા. બોલવા માટેના સંવાદ અને સ્ક્રિપ્ટ યાદ રાખી હોય તોય આવા બફાટ ર ન કરત. પદ્મશ્રી વડે એમનું  સન્માન થયું. પહેલું નિવેદન આઝાદી અને સાચી આઝાદી વચ્ચે રહ્યું.1947 થી 2014 વચ્ચે એ ગૂંચવાયાં. બીજા જે પદ્મશ્રી છે એ સામે સૌને નજરમાં આ બે આવ્યા.

ગરીબ,લાચાર, અભણ,કલાકાર કે સામાન્ય માણસને આ સન્માન મળ્યા. મૂળ પાકિસ્તાની વ્યક્તિ અને 1971માં ભારતને સહયોગ કરનાર ભારતનું નાગરિકત્વ સ્વીકારનાર મહારથી કાઝીને પદ્મશ્રી ખરેખર શોભે. એમનું નામ પસંદ કરનાર ગૃહમંત્રાલયને અભિનંદન. હા, પેલી કુ. કંગના. દર બે મહિને બે ગતકડાં કર્યા હતાં તોય પદ્મશ્રી સન્માન. જે ગૃહ વિભાગને કાઝી સર માટે અભિનંદન એ જ વિભાગને કંગના માટે સવાલ. 

આવા કલાકારો શું કરે કે ચર્ચામાં રહે? એમના માટે ચર્ચામાં રહેવું જરૂરી છે. ઠંડીથી બચવા તાપણું કરવું પડે પણ આ રીતે ઘર ન સળગાવ્યા કરાય એવું કોણ સમજાવશે?

હશે.

આજે આટલું.

પણ હવે એ બોલશે તો ફરી મો..ટો.. લેખ લખીશ. 

 

 

Comments

jagruti pandya said…
બહુ જ સરસ,,, ઉત્તમ જાણકારી મળી કાજી સાહેબની.
કંગના બોલે કે ન બોલે,,, હવે એના માટે લાંબુ લખીને સમય બરબાદ કરશો નહીં. ,,,, " એ તો એવું જ હોય."

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી