IGNITE aword:2020




આધુનિક જગતમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવ સર્જન કે નવ વિચારનું છે. ભારત રત્ન, દેશના પૂર્વ રાષ્ટ્પતિ અને મિસાઈલ મેન તરીકે ઓળખાતા એ.પી.જે. અબ્દુલ કલામ ઈજ્ઞાઈટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે. બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે. સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવ વિચાર મોકલતા હોય છે. હજારો વિચારોમાંથી દર વર્ષે 30 ઇનોવેશન કે બાળકોના વિચારો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ નવ વિચારોની જાહેરાત 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે કોરોના મહામરીને કારણે 9 હજાર નવ વિચારો રજૂ થયા હતા. આ પૈકી 15 વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે. છેલ્લા વર્ષોમાં ,હની બી નેટવર્કના ફાઉન્ડર અને સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વાર બાળ નવસર્જકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે કોરોના  મહામારી વચ્ચે પણ સૃષ્ટિ સંસ્થાન દ્વારા ડૉ. અનિલ ગુપ્તા દ્વાર ચલાવવામાં આવેલ  'ચલો આવિષ્કાર કરે' નામની ઓન લાઈન કાર્યશાળાનું આયોજન કર્યું હતું. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ભારત રત્ન અબ્દુલ કલામના વિજન મુજબ બાળકો માટે આયોજિત બાળ સર્જનશીલતા અંતર્ગત અનેક લોકપયોગી સંસ્થાન સાથે જોડાયેલ,ક્યાંક સ્થાપક સભ્ય અને સૃષ્ટિ ના સંયોજક શ્રી અનિલ ગુપ્તા દ્વારા બાળકોના નવ સર્જન મોકલી આપવા પહેલ કરવામાં આવી હતી. આ પૈકી પાલનપુર વિદ્યામંદિર ખાતે ગુજરાતી માધ્યમમાં ધોરણ:10 માં અભ્યાસ કરતી ચાર્મી પંડ્યાના નવ વિચારની IGNITE એવોર્ડ માટે પસંદગી થવા પામી છે. વિકલાંગ વ્યક્તિને ખુરશીમાં બેસવા કે ઉઠવામાં મુશ્કેલી ન પડે એવા વિચાર સાથે મોડલની ડિઝાઈન આપવામાં આવી હતી. દર વર્ષની માફક આ વર્ષે ભારત રત્ન અબ્દુલ કલામની જન્મ તારીખ 15 ઓક્ટોબરે આ પસંદ થયેલ નવ વિચારક બાળકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પસંદ થયેલ 15 બાળ સર્જક પૈકી ચાર્મી પંડ્યાની પસંદગી થતાં સમગ્ર દેશમાં વિદ્યામંદિર શાળાએ ફરીથી પોતાનું અવ્વલ સ્થાન સાબિત કર્યું હતું. ચાર્મી પંડ્યા દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ રીતે નવ વિચાર સૃષ્ટિને  મોકલવામાં આવતાં હતાં. અત્યાર સુધી બાળ સર્જકોને શોધવા ચાલતી કેટલીય કાર્ય શાળાઓમાં ભાગ લીધો હતો. આઈ.એ.એમ. અમદાવાદ, દિલ્હી, મહારાષ્ટ્ર સોલપુર અને રાજસ્થાન ખાતે તેઓએ કાર્યશાળામાં ભાગ લીધો હતો. સારાં ગાયક અને ચિત્રકાર તરીકે અનેક ઇનામ મેળવનાર ચાર્મી પંડ્યા પદ્મશ્રી અનિલ ગુપ્તાના વ્યક્તિગત ચાહક છે. તેમના ચલો આવિષ્કાર કરે... સાથે ઓન લાઈન જોડાઈને તેમણે આ વખતે પણ કુલ 5 નવા વિચાર મોકલ્યા હતા. 15 ઓક્ટોબરના દિવસે જાહેર થયેલા બાળ નવ સર્જકોની યાદીમાં બનાસકાંઠા જિલ્લાને સ્થાન અપાવનાર ચાર્મી પંડ્યા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટેના કેટલાક કાર્યક્રમમાં જોડાયા છે. દૂરદર્શન અને રેડિયો ઉપર કેટલાક કાર્યક્રમમાં તેઓની વિવધ કલાનું પ્રસારણ થતું રહે છે. 


Comments

વાહ...અભિનંદન... ચાર્મીબહેન....
ખૂબ ખૂબ અભિનંદન દિકરાને

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી