ગરબા વગર क्या करबा....

 



એક તરફ વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. લોકો કોરોનાથી બચી શકે એ માટે સરકારે અનેક બાબતોની માર્ગ દર્શિકા આપી છે. અત્યારે જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક માત્ર રસ્તો છે. આવા સમયે આ જ કારણે દર વર્ષ કરતાં આ વર્ષે નવરાત્રીનો માહોલ ફિક્કો દેખાઈ રહ્યો છે.

નવરાત્રીના આયોજકો અને કલાકારો એક તરફ સરકાર પાસે આર્થિક પેકેજની વાત કરી રહ્યા છે,લગ્ન વખતે થતા રસ ગરબાના આયોજન પણ કોરોના સમયે સરકારે બંધ કરાવ્યા હતા. એમાં પડતામાં પાટું એવું લાગ્યું કે નવરાત્રીમાં પણ કલકરો અને મંડપ ડેકોરેશનના માલિકો નવરા થઈ ગયા છે.

એક તરફ આર્થિક સમસ્યાનો સામનો અને સરકારના આદેશને પગલે નવરાત્રીમાં પણ ચોક્કસ કાયદા અને જોગવાઈઓ થકી ગરબા કરવાના હોઇ


ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે ડાન્સ કલાસના આયોજકો પણ નવરાત્રી નીરસ હોઈ તેમનામાં પણ ઉત્સાહ દેખાતો નથી. ખેલૈયાઓ જ્યાં નવ નવ દિવસ સુધી માતાજીની આરધના કરી નવરાત્રી ઉજવતા હતા તે આ વખતે ગરબા નહીં રમાય એ વિચારે જ દુઃખી થતા રહે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી