બિહાર ચુનાવ:ગુજરાત પેટા ચુનાવ...

यहाँ हर डाल पे उल्लू बैठे हैं,

एक उल्लू दूसरे की डाल काटता हैं।






કોરોના વાયરસ: અંતર અવાજ અને બિહાર ચુનાવ:

હકીકત સામે કારણ વગરનું એક કારણ રાજ કારણ.


અત્યારે ગુજરાતમાં ઉપ ચુનાવ અને બિહારના વિધાનસભા ચુનાવ ને કારણે ટીવી ચેનલો વાળા ને સુશાંતસિંહ રાજપૂત અને એ પછી પુલવામાં થી થોડી રાહત આ બિહારની ચૂંટણી  થકી મળી. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા ની ચૂંટણી 3 મહિના પાછી ઠેલી. સરકારે આ માટે કોરોના કારણ આપ્યું. ગભરાવું નહીં, ચૂંટણી તો 3 મહિના પછી પણ થશે. ગુજરાતમાં ભાજપને પેટા ચૂંટણીમાં વકરો એટલો નફો છે. કારણ આ આઠેય સીટ કોંગ્રેસે જીતી હતી. 



કોગ્રેસજીતી અને પછી આઠ નેતાઓએ રાજીનામુ આપ્યું. આ આઠ રાજીનામાં પડ્યા એટલે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી રાજ્યસભામાં હારી ગયા. પછી એ તો કોરોનામાં સપડાયા.  આ કોંગ્રેસના જીતેલા આઠ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું. ભરતસિંહ સીધા કોરોનામાં ગયા. જ્યારે શક્તિસિંહ અને ભરતસિંહને હરાવવા આઠ ધરાસભ્યોના અંતરના અવાજને સાંભળી તેમની પાસે રાજીનામું અપાવી નરહરિ અમીન જીત્યા. આ અંતરનો આવાઝ આ આઠ સભ્યો સાંભળે એ માટે કેટલા વોલ્ટ(નોટ ન વાંચવું) નરહરિ અમીને ખર્ચ્યા એ તો મને ખબર નથી. હા,વાત તો 80 થી 110 રૂપિયાની થઈ હતી. અરે! રૂપિયા આગળ કરોડ વાંચી લેજો એટલે મારી ભૂલ સુધરશે. 80 થી 110 કરોડ રૂપિયા અંતરનો અવાજ સંભળાય સંભળાય તે માટે નરહરી અમીને દાન કર્યું હશે. આયોજન પંચના ઉપાધ્યક્ષ કરતાં રાજ્ય સભામાં 80 થી 100 પરત આવવાની શક્યતા વધારે હશે.  હશે. મને શું ખબર. પણ, આ નેતાઓ કહે છે કે, ભારત સરકારના નાણાંમંત્રી એ બિહારમાં 22 તારીખે એટકે કે કાલે જાહેર કર્યું કે મારા અંતર અંતરાત્માનો અવાજ છે કે,બિહારના અંતર આત્માનો  આવાઝને સાંભળી સાંભળી ને ભાજપ દ્વારા બિહારના દરેક નાગરિક કે બિહારના દરેક લોકોને કોરોના વેકસીન મફતમાં આપવાનું વચન પત્રમાં જાહેર કર્યું છે. આ જાહેરાત બિહાર ભાજપા દ્વારા કરવામાં આવી. સાથે ધોરણ:9 માં ભણતાં બાળકોને લેપટોપ ભણવા આપવા માટેની જાહેરાત પણ ચુનાવ ઘોષણા પત્રમાં કરી. આ જાહેરાતને આધારે બિહારનું રાજકારણ ગરમાયુ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદના પુત્ર. નીતીશ સરકારના પૂર્વ ઉપ. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું. આ વેકસીન વેચીને મત ભેગા કરે છે. મહામારીને નાથવાને બદલે તેની રસીનો ઉપયોગ રાજકારણ માટે અને મત  દારને લોભવવા માટે કરે છે.



આજ બિહારની ચૂંટણીમાં જાહેર સભાનું કશુંક જુદું જ છે. 


અહીં કેટલાક નેતાઓની સભામાં કાર્યકરો વધારે હોય છે. ભાજપ અને JDU ના મોટા નેતા હોય તો લોકો કે કાર્યકરો આવે છે. રાષ્ટ્રીય જનતા દળ એટલે કે લાલુ પરિવારની પાર્ટી માં જ્યાં ગુંડા કે ગુનેગારને ટિકિટ મળી છે ત્યાં સભા મોટી ભરાય છે. પણ એક વાત જે મને જાણવા મળી છે. એ વાત જાણે એમ છે કે ભાજપના ચૂંટણી સ્થળે બંધાયેલ મંડપમાં કેટલીક સભામાં નેતા મંડપમાં વધારે અને સાંભળનાર ઓછા છે. ભાજપ નીતીશ કુમારને ટેકો આપી ચૂંટણી લડે છે. એટલે JDU ના મંડપમાં CM(કોમન મેન નહીં) જેટલો દબદબો અને કોરોના સામે માસ્કનો પણ દબદબો જોવા મળે છે.

બિહારની ચૂંટણીમા મૉટે ભાગે ભાજપની જાહેર સભામાં મોટાભગના મંદાપિયા નેતાઓ માસ્ક વગર જ દેખાયા. હશે, પણ આ રસી બિહારને પહેલા મળે ને ગુજરાતને છેલ્લે મળે તો ચાલશે. પણ રસી આવે એ જરૂરી છે. દરેકના ખાતામાં 15 જમા થશે. આવું એક વચન કે અમિત શાહે કહ્યું હતું એવો આ જુમલો રસી માટે બિહારમાં થશે જ. ચૂંટણી સમયે રસી આવી નથી તો બોલવામાં શું વાંધો એમ વિચારી લીધું. આવું વિચારીને સીધા એને પ્રચાર સાહિત્યમાં પ્રકાશિત પણ કરાયું. આજે બિહારમાં ચુનાવ ગોશણા પત્ર જાહેર થયું. એનો અર્થ એવો થાય કે કદાચ આ રાશિનું રાજ કારણ ઉભું કરવા આઇટી સેલ દ્વારા અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હોય. જે આજે જાહેર થયું હોય એમ બને. આ લખાય છે. ભાજપના આ નિર્ણય સામે વિપક્ષના નેતાઓ રાજ્યપાલને મળવા સમય માંગી ચુક્યા છે. આપ વાંચતા હશો ત્યારે રાજ્યપાલે શું કહ્યું તે ટીવીમાં આપ સમાચારમાં જોતા હશો.

.હવે વિચારો...કોરોના જેવી મહામારી સામે રસી આવી જ નથી તોય આવું વચન. કહેવાય છે ને કે 'વચને કીમ દરિદ્રતામ' પણ સરવાળે આ મજાક કખેવાય. સમજો... લાખોને રોજગાર અને અનેક વિકાસના વાયદા વચ્ચે ચિરાગ પાસવાન પાછા રામવિલાસ પાસવાનની ક્રિયાકર્મ પતાવી અમિત શાહના હનુમાનના બદલે અભિભાવક સુધી પહોંચ્યા છે. એ પાછા કેન્દ્રમાં ભાજપ સાથે છે પણ બિહારમાં ભાજપ સાથે ચૂંટણી લડ્યા નથી. કારણ એમને નીતીશ કુમાર ગમતા નથી. હૈદરાબાદના ઓવેસી પણ મુસ્લિમ બહુમત ધરાવતી કેટલીય સીટમાં ઉમેદવાર ઉભા રાખશે. લડશે ભાજપ સામે. પણ,મુસલમાનના મત તોડવી ભાજપના વિરોધી ઉમેદવારને લાભ અપાવશે.2014 માં ઉત્તર પ્રદેશમાં જ્યારે ભાજપે અડદ સીટો જીતી ત્યારે જ્યાં જ્યાં થી ઓવેસી એ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા ત્યાંથી ભાજપના ઉમેદવાર ઓછી તો ઓછી પણ લીડ લઈ ને જીતી ગયા હતા. બિહારમાં એવું બને. આ માટે કોણે કોનો અંતર આત્માનો જવાબ સાંભળ્યો એ સમજવું મારા વાચકોને જરાય જરૂરો નથી. પરિણામ પછી ચોક્કસ ખબર પડી જશે.

અંતમાં ગુજરાત પેટા ચૂંટણીની વાત કરીએ તો 8 ભલે કોંગ્રેસની હતી. તે પૈકી 5 તો હવે કોંગ્રેસ માંથી ભાજપમાં આવી ચૂંટણી લડે છે. આ પાંચ જગ્યાએ સ્થાનિક નેતાઓ અને જે છેલ્લે ભાજપના નામે હાર્યા અને આ ભાઈ કોંગ્રેસથી જીત્યા હબે ભાજપમાં જીતશે. અંતરાત્માનો અવાજ તો ગઈ વખતે ભાજપમાંથી હારેલા ઉમેદવારનો સંભળાવો પડે. જે 3 જગ્યા એ પક્ષપલટુ ને ટિકિટ આપી નથી ત્યાં કોંગ્રેસના એ અંતરાત્મા વાળા ભાજપ ને જીતાડશે. 


એક આવી વાત પણ છે. બિહારનો વિરોધ પક્ષ 11 લાખ જેટલી એવી જગ્યાઓ જે વર્ગ એક અને બેની અથવા એવી જ મહત્વપૂર્ણ જગ્યાઓ છે. આ સવાલના જવાબમાં આ સીટો ન ભરવા માટે જવાબ આપતા 15 વર્ષથી મુખમંત્રી તરીકે સરકારના વડા નીતીશ કુમારે કહ્યું કે ' એમને ચૂકવવા પગાર ક્યાંથી લાવવો.આ જવાબ વિરોધ પક્ષ આપે અને જો વિરોધ પક્ષ મજબૂત હોય તો કહેવાય કે તમે સરકારમાં આવો તો આ જગ્યા ભરજો. એ બિહારમાં શક્ય નથી. એ નક્કી કે બિહારમાં NDA ની સરકાર ટેકા વગર શક્ય નહીં બને એ નકકી.


સુશાંત સિંહ નો પ્રચારમાં હજુ ઉછાળો આવ્યો નથી. કહેવાય છે કે સ્ટાર પ્રચારક સન્ની દેઓલ જ્યારે પ્રચારમાં આવશે ત્યારે આ મુદ્દો ઉછળશે. સ્ટાર પ્રચારક તરીકે સન્ની દેઓલ ચૂંટણીના છેલ્લા સમયમાં આવશે. એ પહેલાં બીજા પ્રચારકો થોડી શુશાંતની વાત ઉછળતા રહેશે. થોડું ઉછાળી IT સેલ આધારિત રિપોર્ટ ને આધારે આ મુદ્દો ચૂંટણી માટે ઉપયોગી કે નહિતે નક્કી થશે. 

ગુજરાત પેટા ચૂંટણીમાં ભાજપને વકરો એટલો નફો.4 સીટ જીતવાનો વિશ્વાસ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી