વાહ રે શહીદ...


આપણો દેશ અનેક વિવિધતા ધરાવતો દેશ છે.આપના દેશમાં અનેક વ્યક્તિ એવી છે જેમના બલિદાન ને આપણે ભૂલી શકીએ એમ નથી.સમાજ સેવા,શિક્ષણ,સાહિત્ય અને શોર્ય માટે અનેક વ્યક્તિને આપણે યાદ કરી શકીએ છીએ.યાદ કરવા જ જોઈએ.આવા જ આપના માટે શહીદ થનાર કે બધું જ છોડનાર યોદ્ધાઓ માટે એક સરસ પુસ્તક લખાયું છે.આ પુસ્તકના લેખક હર્ષલ પુષ્કર્ણા છે. આ પુસ્તકનું પ્રકાશન  યુરેનસ બુક્સ દ્વારા કરવામાં આવ્યું છે.પુસ્તકની કિંમત લખવા કરતા આવા પુસ્તક માટે મૂલ્ય લખી શકાય.ચારસો પચાર રૂપિયાનું મૂલ્ય ધરાવતું આ પુસ્તક ખરેખર ખરીદવા જેવું છે.અરે કોઈને ભેટમાં પણ આપી શકાય એવું આ પુસ્તક છે.
પરમ વીર ચક્ર પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ અંગે અહીં લખાયું છે. વીર હરીફને હરાવનાર અને પરમવીર એટલે આવા તમામ વીરોમાં સર્વશ્રેષ્ઠ શૌર્ય દાખવનાર સૈનિક. આજદિન સુધીનાં યુદ્ધોમાં ભારતીય લશ્કરી દળોનાં કોણ જાણે કેટલાય સૈનિકોએ રણભૂમિમાં અને સાહસ કરી દેખાડયા છે આમાંના થોડાક હજાર બહાદુર કહેવાયા સેંકડો  ભડવીરોને મહાવીરનું બિરુદ મળ્યું અત્યાર સુધીમાં એકવીસ વ્યક્તિઓ એટલે કે  સૈનિકો અથવા સૈન્ય અધિકારીઓ એવા છે, જેઓ એટલે કે પરમવીર નો સર્વોચ્ચ ખિતાબ પામ્યા છે. .
વિશ્વનું ટોચનું શિખર જે રીતે એવરેસ્ટ છે, વિશેષ સંશોધન કે પ્રદાન માટેનું સર્વોચ્ચ ઇનામ નોબેલ પ્રાઇઝ છે, તેમ વીરતાનું સૌથી શ્રેષ્ઠ સન્માન છે પરમવીરચક્ર. તેમાંના મોટાભાગનાને મરણોત્તર અપાયો છે, પરંતુ પરમવીર બાનાસિંહ, પરમવીર યોગેન્દ્રસિંહ યાદવ અને પરમવીર સંજયકુમારને પોતાનું આ સર્વોચ્ચ લશ્કરી સન્માન જાતે સ્વીકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આ તમામ પરમવીર બ્રેવેસ્ટ ઓફ બ્રેવ, સિંહપુરુષોની વીરગાથાઓ આ પુસ્તકમાં વિસ્તારપૂર્વક રજૂ કરીને વિજ્ઞાનના લોકપ્રિય સામયિક સફારીના સંપાદક અને બહુશ્રુત લેખક હર્ષલ પુષ્કર્ણાએ પોતાના અગાઉના બેસ્ટસેલર પુસ્તક ‘આ છે સિયાચીન'ની માફક જાંબાઝ વીર જવાનોના શૌર્યને સાચી ગૌરવાંજલિ અર્પણ કરી છે. આ તમામ વીર યોદ્ધાઓ કોણ હતા? તેમણે કઇ રીતે કયા જંગમાં ઝંપલાવ્યું હતું અને ત્યાં કઇ રીતે તેઓ દુશ્મનની સામે ઝઝૂમ્યા હતા તેમજ એ કશ્મકશમાં કઇ રીતે તેઓ વીરગતિને પામ્યા હતા, તેની સમગ્ર કહાણીને પ્રત્યેક પરમવીર માટે અલાયદું સચિત્ર પ્રકરણ આલેખીને રસપ્રદ રીતે પુસ્તકમાં આપવામાં આવી છે. તેના સમગ્ર વર્ણનમાં યુદ્ધભૂમિ, હુમલાની પેટર્ન, શસ્ત્રો-દારૂગોળાના ઉપયોગની સ્ટાઇલ વગેરે આ વિષય પરત્વે લેખકનું ઊંડાણ દેખાઇ આવે છે. એટલું જ નહીં, પણ પ્રત્યેક પરમવીર પ્રત્યેના આદર સાથે સમગ્ર કહાણીને રજૂ કરીને લેખકે પુસ્તકના માધ્યમ દ્વારા આ શૂરવીરોને ભાવપૂર્ણ નિવાપાંજલિ અર્પણ કરી છે. .
એટલું જ નહીં પણ જે તે મેદાને જંગમાં આ યોદ્ધાઓએ શહાદત વહોરી કે શૌર્યગાથા અંકિત કરી, તે યુદ્ધની ભૌગોલિક અને સાંપ્રત સ્થિતિનું પણ લેખકે વર્ણન કરીને પૂરક જાણકારી આપવાની સાથે જે તે ઘટનાનું વધુ દસ્તાવેજીકરણ પણ કરી જાણ્યું છે, જેમાં ૧૯૪૭-૪૮, ૧૯૬૫ અને ૧૯૭૧ તેમજ ૧૯૯૯(કારગિલ)ના ભારત-પાકિસ્તાન યુદ્ધો ઉપરાંત ૧૯૬૦-૬૫ના કોંગો વિગ્રહ, ૧૯૮૪-૮૭નો સિયાચીન વિગ્રહ, ૧૯૮૭-૯૦ના શ્રીલંકાના આંતરવિગ્રહનો સમાવેશ થાય છે. કારગિલ યુદ્ધ માટે લેખકે ખાસ નોંધ્યું છે કે ઇતિહાસમાં યુદ્ધો તો ઘણા થયા અને દરેક યુધ્ધો ઇતિહાસ ને થોડો-ઘણો બદલી નાખ્યો છે એક રીતે જોતાં આ બધા જોડે હોય તો તે કારગીલ યુદ્ધ હતો કે પોતે નવો ઇતિહાસ સર્જ્યો વિગ્રહની તવારીખમાં વિક્રમ નોંધાવ્યો કારણકે પંદર-સત્તર હજાર ફીટ ઊંચા પહાડનું મેદાન પર તેના જેવો સાહસ અને સનસનાટીપૂર્ણ યુદ્ધ લડાયું નથી ક્યાંયને અને ક્યારેય નહીં કઠોળ કુદરતી સંજોગો વચ્ચે યુદ્ધનો પડકાર ઝીલવો એ ભારતીય જવાનો સિવાય બીજાનું કામ પણ નથી આ બાબતે દેશની જનતાએ આપણા લશ્કરી દળો પર માત્ર ગર્વ નહિ અભિમાન પણ રાખવું રહ્યું.આ પરમવીર ચક્ર જીતનારા કે અન્ય બહાદુર સૈનિકોએ ફરજપાલન ને બદલે પોતાની જિંદગીને મુઠ્ઠી ઊંચેરું સ્થાન આપ્યું હોત તો તેઓ વધુ જીવ્યા હતા પરંતુ એ જીવન કદાચ આટલું ગૌરવપૂર્ણ ન હોત. એક સાચા સિપાહી માટે કર્મ થી ચલિત થવું એ ધર્મના માર્ગેથી વિચલિત થવા બરાબર છે. સાચો સૈનિક યુદ્ધભૂમિમાં સામી છાતીએ લડીને શૂરવીરને છાજે એવું મોત સ્વીકારી લેવું વધુ પસંદ કરે છે. ભરજુવાનીમાં ફરજપાલન ખાતર દેશને ખાતર પોતાના પ્રાણની આહુતિ આપીને એમણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ બાહોશ લડવૈયાઓ પરમવીર ચક્ર ના સાચા હકદાર બનવાની સાથે આવનારી હજુ પેઢીઓને માટે શૌર્ય, સાહસ અને ફરજપાલનના અજોડ દ્રષ્ટાંત બન્યા છે. .
લેખકે આ પુસ્તકના અંતે સમાપન માં લખ્યું છે કે ભારતીય લશ્કરના શેરદિલ સપૂતોને શૌર્યગાથા અને બલિદાન ગાથા વાંચ્યા પછી નથી લાગતું કે દેશના સાચા હીરો આપણી સરહદોનું રખોપું  કરતા સિપાહીઓ છે નથી લાગતું કે એ વતન પરત નાય કોને ઓળખવામાં આપણે ઊણા ઉતર્યા છીએ આદર પ્રેમ સન્માન આપવામાં મોડા પડ્યા છે ફિલ્મ જગતના તેમજ ક્રિકેટ જગતના સિતારાઓને પોતાના રોલ મોડલ ગણપતિ નવી પેઢીના કેટલા છોકરા-છોકરીઓએ મેજર શૈતાનસિંહ પાર્ટીનું અરૂણ ખેતરપાલ આલ્બર્ટ કે પછી કેપ્ટન વિક્રમ નામ સાંભળ્યું હશે? આ બદલાવથી નવી પેઢી અજાણ રહી ગઈ હોય તો એમાં આપણે વ્યવસ્થાનો છે આપણી શિક્ષણપ્રણાલીનો છે જે બાબર જીવા પરદેશી આક્રમણખોરોના જીવન ચરિત્રોની પાઠ્યપુસ્તકોમાં શામેલ કરી શકે છે પણ દેશના પરમ વિરોધી સૌર્ય કથાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાથી ચૂકે છે અતિ જરૂરી બને છે એવું કે સ્કૂલોમાં તૈયાર થતી નવી પેઢી દેશના સાચા સપૂતોને ઓળખ્યા વિના ભણતર પૂરું કરીને જીવનની નાસભાગમાં પરોવાઈ જાય છે જ્યાં તેનું ધ્યાન ભાગ્યે જ આવા હીરો પ્રત્યે કેન્દ્રીય થતું હોય છે માતા-પિતા હંમેશા ઇચ્છતા હોય છે કે તેમના સંતાનોને સારા સંસ્કાર મળે પ્રભાત વરસથી વગેરે પણ બધા સંસ્કારો જ છે જેને આગામી પેઢીમાં ટ્રાન્સફર કરવા એ આપણું દાયિત્વ છે .દેશના વીર અને વીરગતિ પામેલા સૈનિકોને અને આ પુસ્તકના લેખકને માન ભરી સલામ.સાથે આવું પુસ્તક લખનાર અને છાપનાર એવા પ્રકાશકોને પણ મારા વંદન.


પરમવીર ચક્ર વિજેતા વીર યોદ્ધાઓ
૧) મેજર સોમનાથ શર્મા,૨) નાયક જદુનાથસિંહ રાઠોડ,૩) સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે, ૪) કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવત, ૫) લાન્સનાયક કરમસિંહ, ૬) કેપ્ટન ગુરુબચનસિંહ સલારીયા, ૭) મેજર ધનસિંહ થાપા, ૮) સુબેદાર જોગીન્દરસિંહ સહનાન, ૯) મેજર શૈતાનસિંહ ભાટી, ૧૦) કંપની ક્વાર્ટરમાસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ, ૧૧) લેફ્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર, ૧૨) લાન્સ નાયક આલ્બર્ટ એક્કા, ૧૩) ફ્લાઇંગ ઓફિસર નિર્મલજિત સેખોં, ૧૪) સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલ, ૧૫) મેજર હોંશિયારસિંહ દહીયા, ૧૬) નાયબ સુબેદાર બાના સિંહ મુલતાની, ૧૭) મેજર રામાસ્વામી પરમેશ્વરન, ૧૮) લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે, ૧૯) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ, ૨૦) રાઇફલમેન સંજયકુમાર ઠાકુર, ૨૧) કેપ્ટન વિક્રમ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી