CBSC અને શિક્ષણ...


કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓ અંગે ચર્ચા ચાલે છે. અન્ય રાજ્યોમાં શાળાઓ ફી વધારો કરે છે તેની સામે સરકાર અને વાલીઓ નારાજ છે. આ માટે નાના-મોટા આંદોલનો પણ થયા છે. વિવિધ મીડિયામાં આ અંગે અહેવાલ કે રિપોર્ટ જોવા કે વાંચવા મળ્યા છે.આ બાબતના અનુસંધાનમાં એક ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી ચર્ચા સાંભળવાનું થયું.  આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ ટી.વી.ના એન્કર દ્વારા વાલીઓના પ્રતિભાવ મેળવવા એક પ્રશ્ન પૂછ્યો.તમે બાળકને કેવી શાળામાં મુકવા માંગો છો.શિક્ષિત દેખાતા કેટલાક વાલીઓ એ કહ્યું CBsE માં ભણાવવા માગીએ છીએ. પત્રકારે સવાલ કર્યો તમે તમારા બાળક ને CBSE માં અભ્યાસ માટે શા માટે મૂક્યો છે? આ સવાલ લાઈવ દર્શકો અને ટીવીમાં જોતા સૌને લાગુ પડતો હતો.અહીં દુઃખ સાથે કહેવું પડે કે એક પણ વાલીનો જવાબ યોગ્ય નહોતો. જવાબમાં કોઈ તર્ક કે દલીલ નહીં.તે કહે: ' પરીક્ષામાં અભ્યાસ કરવા મોકલવા. અંગ્રેજી માધ્યમને કારણે.થોડું વધારે શીખે એ માટે. આ અને આવા અનેક કારણ આવ્યા.આવા તર્કહીન જવાબ આપનાર વાલીઓ CBSE શાળા વિશે જાણ્યા વગર જ દેખાદેખીમાં જ પોતાના બાળકને આવી શાળામાં ભણાવે છે. કદાચ આ લેખ એવા ભણેલા અભણ વાલીઓ ને કામ લાગશે.
અહીં એક વાત એ કે આવી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના વાલીને CBSE નું પૂરું નામ પૂછયું.વાલીનો જવાબ ખોટો હતો.GSEB નું નામ કાંઈ ગુજરાતી માધ્યમના બધાં ને ન આવડતું હોય.એ શક્ય છે.વિચારો જે વાલી બોર્ડનું પૂરું નામ નથી જાણતા તે વાલી તે બોર્ડના હેતુઓ અને કાર્યો તો ક્યાંથી જાણતો જ હશે.આ માટે આપણે જોઈએ. CBSE નું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. અહીં માત્ર માધ્યમિકની વાત છે.પ્રાથમિક શાળાની વાત નથી. એકથી આઠ ધોરણ માટે રાજ્ય સરકારની મંજૂરી જ મળે છે.મુંબઇ અધિનિયમ મુજબ એ જ કાયદો છે. થોડા દિવસો પહેલા ગુજરાતના મોટા શહેરમાંથી ફરિયાદો મળી.સાંભળવા મળેલી ફરિયાદ મુજબ કેટલીક શાળામાં પ્રાયમરીમાં પ્રવેશ વખતે સંચાલકોએ કહ્યું હતું કે, અમારી પાસે CBSE ની માન્યતા છે. અમે અમારાં બાળકોને તે શાળામાં પ્રવેશ લીધો. હવેથી  ખબર પડી કે આ શાળા પાસે પ્રાથમિક શાળા સંચાલન માટેની માન્યતા નથી.આવી શાળાઓ NCERT ના પુસ્તકો ખરીદે છે. આ પુસ્તકો કોઈને પણ બજારમાંથી કે માન્ય સ્ટોરમાંથી મળે છે.NCERT તો હવે ઓન લાઈન બુકિંગ કરીને બુક્સ ઘરે મોકલી આપે છે. અહીં એક વાત યાદ કરીએ કે CBSE પ્રાથમિક શાળાને માન્યતા આપતું જ નથી. તેનું કાર્યક્ષેત્ર માત્ર ને માત્ર હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી પૂરતું જ છે. તે કોઈ પણ શાળાના પ્રાથમિક વિભાગને મંજૂરી આપી ના શકે. તેની સત્તા પણ નથી. ઘણાં આ જાણતા નથી પછી સંચાલકો પાસે પ્રાથમિક વિભાગની  માન્યતા ક્યાંથી માંગે? આપ એમની CBSE ની પ્રથમીકની મંજૂરી માગજો. અરે....માગો તો તે ક્યાંથી બતાવશે ? હું પ્રાથમિક ધોરણના પાઠ્યપુસ્તકો સાથે છેલ્લા 18 વર્ષથી જોડાયેલો છું.વિવિધ ધોરણ અને વિષય ધરાવતી 43 બુક્સ મારી લખેલી પાઠ્યક્રમમાં છે.ધોરણ એક થી દસ સુધી દરેક ધોરણના કોઈએક વિષય સાથે જોડાવાનું મને ગૌરવ છે. મને એ નથી સમજાતું કે, ગુજરાત બોર્ડની શાળાઓમા બાળકો હોશિયાર નથી એવું નથી. CBSE કે અન્ય કોઈપણ બોર્ડ હોય. જે હોશિયાર છે,ચોક્કસ ગમે તે બોર્ડમાં હશે, તે વિદ્યાર્થી ઈચ્છે ત્યાં પ્રવેશ મેળવવાનો છે. જે નબળો છે તે ગમે તે બોર્ડમાં હશે. તેને મેરિટમાં પ્રવેશ નથી મળવાનો. વાત રહી બોર્ડર પર આવતા વિદ્યાર્થીઓની. આવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ? શું વાલી આવી બાબતો વિચારે છે ? અને હા, વાત રહી જેઈઈ પરીક્ષા અને એન્જિનિયરિંગની. તો એમાં તો કોલેજોની સંખ્યા એટલી બધી છે કે આ કોલેજોને તો પૂરતા વિદ્યાર્થી મળતાં નથી.  જેને એન્જિનિયરિંગમાં જવું છે તેને તો ગમે તે કોલેજમાં પ્રવેશ મળી જવાનો છે. તે માટે કયા બોર્ડમાં ભણ્યા છો તે જરાય ધ્યાનમાં લેવાતું નથી. દેખાદેખી કે પડોશીના કે સગાંના બાળક કરતાં પોતાનું બાળક કે પોતે વધુ ઊંચા છે તે બતાવવા માટે સી.બી.એસ.ઈ.ની શાળામાં બાળકને પ્રવેશ લેવો જોખમી છે.
મોટા બેનર વાળી શાળાઓ મોટા ભાગે ટ્રસ્ટ કે કોઈ NGO દ્વારા ચાલે છે. તેમના બિલ્ડિંગ મોટા, સુવિધાયુક્ત અને આકર્ષક હોય છે. જેઓ ફી  ઊંચી લેતા હોય છે. વાલીએ એક ભ્રમણામાંથી બહાર નીકળી જવું જોઈએ કે ઊંચી ફી એટલે સારું શિક્ષણ. આ માન્યતા ભૂલ ભરેલી છે. ગુજરાતમાં એવી અનેક શાળાઓ છે કે જે ખૂબ જ નીચી ફી લઈને ખૂબ જ સારું શિક્ષણ અને મૂલ્યો પીરસે છે. અનેક સરકારી શાળાઓ આજે ખાનગી સંકુલ ને આંબી છે. દરેક વાલી એમ માને છે કે, આ દુનિયાનું શ્રેષ્ઠ બાળક મારું જ છે. તેણે સારામાં સારી ભલે ગમે તેટલી ફી હોય તો પણ ત્યાં જ ભણાવું. જેમાં વાલી ખોટા છે. સારી શાળામાં શિક્ષણ અપાવવું જોઈએ, પણ સારી શાળા એટલે ઊંચી ફી લેતી હોય અને સી.બી.એસ.ઈ. હોય એ જ એ માન્યતામાંથી બહાર આવી જવાની જરૂર છે. આપણા ગુજરાત બોર્ડની ઘણી શાળાઓ સારી છે જ.  બાળક હોશિયાર હશે અને તમે વ્યક્તિગત રસ લેશો તો તે ગમે તે બોર્ડમાં હશે તેને કોઈ જ મુશ્કેલી પડવાની નથી.




 એક ખરાબ સલાહ આપીશ.અત્યારે ઊંચી ફી ભરવી અને પછી સારી જગ્યાએ પ્રવેશ ના મળે એના કરતાં સામાન્ય ફી ભરો, વધારાની ફીની બચત કરો. ભવિષ્યમાં પ્રવેશ લેવાનો થાય ત્યારે બચેલા પૈસાનો ડોનેશન આપીને પણ પ્રવેશ મેળવી શકશો. અંતે, ફી સામે બાંયો ચડાવનાર વાલીને કહીએ કે તમે કદાચ સાચા હશો, પણ આવી શાળામાં તમે તમારા સંતાનને શા માટે મૂકો છો. સંચાલકો પાસે લેખિત બાંયધરી લો કે તમારું બાળક ભણશે ત્યાં સુધી આટલી જ ફી લેશે. આવી શાળાઓમાં જો વાલી પોતાના બાળકને મૂકશે નહીં તો શાળા આપોઆપ ફી ઘટાડો કરશે, પણ વાલી આવું કરશે ખરા ? અંતે સી.બી.એસ.ઈ.નો મોહ છોડો, તમારા બાળકને ઓળખો, શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિઓની સલાહ લો, જે શાળામાં બાળકને મૂકવું છે તેનો પાછલા પાંચ વર્ષનો ઇતિહાસ જુઓ. માત્ર ભૂગોળ જોઈ આકર્ષાઈ જશો નહીં. તમારું બાળક ચોક્કસ શાળામાં ભણશે તો જ તેનો વિકાસ થશે તેવું ના માનશો.અનેક શક્તિના માલિક આ બાળકો ને કોઇ એક જગ્યાએ ફિક્સ ન કરીએ તો સુખદ પરિણામ મળશે જ.


@#@
શિક્ષણ મોંઘું નથી.
કેટલાકે મોંઘું બનાવ્યું છે.
આવા મોંઘેરા મહેમાનો ને ઓળખીએ.જેને સાચી જરૂર છે એને સહકાર મળશે જ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી