બચપણ...


કાંતો પાછી સમજણ આપ,
કાંતો પાછું બચપણ આપ.

કહેવાય છે કે બાળકના જીવનના શરૂઆતના પાંચ વર્ષ દરમિયાન જે આપીએ એ આજીવન એની સાથે રહે છે.

એક વિધાન એવું છે કે જો બાળપણમાં બાલકથા નહીં મળે તો ઘડપણમાં હરિકથા નહીં મળે.વાત પણ સાચી.બાળપણમાં  જો બાળવાર્તા કે બાલકથા ન મળી હોય તો જીવન ઘડતર શક્ય નથી.સંસ્કાર ઘડતર માટે બાળપણનું ઘડતર ખૂબ જરૂરી છે.આ માટે જ બાલકથાઓ એક માત્ર રસ્તો છે.પંચતંત્ર...ઇસપની વાતો,મુલ્લા નસરુદ્દીન,અરેબિયન નાઈટ્સ કે એવી બધી જ વાર્તાઓ જીવન ઘડતર માટે છે.

મોરારીબાપુ કહે છે કે જીવનમાં સુખી થવા માટે બાળક બનવું જરૂરી છે.બાળક બનવા માટે મોટપ ઓછી કરીએ.આપણે બાળકનું ઘડતર કરવા માટે નિયમો બનાવીએ એ વાત ખોટી.યોગ્ય ઘડતર માટે જરૂરી છે બાલકથાઓ.આ કથાઓ આજના જમાનામાં ઓનલાઈન પણ છે જ.

તો આજના બાળકો ને બાલકથા આપીએ અને તેમને જીવનના અંતિમ સમયે હરિકથાનું આયોજન કરીએ.

@#@
બાળક ને બચાવવા નહીં,બાળકને વિકસાવવા માટે બાલકથાઓ જરૂરી છે.આપણે બાળક હતા જ.તો કોઈ ને મોટા થતાં અટકાવવાનો બદલે હાલ એનો અધિકાર આપીએ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી