इन शोध सोलापुर:राज लक्ष्मी
મહારાષ્ટ્રના સોલ્હાપુર જિલ્લાનું એક નાનકડું ગામ કુસૂરની આ વિદ્યાર્થીની
છે.રાજલક્ષ્મી નો પુરો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે આ ગામની નજીક થઇ ને એક નદી
વહે છે જેના લીધે આ નદીના પાણી થી પાક ઉત્પાદન સારું રહે છે.રાજલક્ષ્મી ખેડૂત
પરિવારની દીકરી હોવાથી એને ખેતીને લગતી તમામ સમસ્યાઓ થી સારી રીતે પરિચિત
છે.
ગ્રામ્ય કક્ષાએ ખેતી કરવા માટે ઘણી સમસ્યાઓ નડે છે જો એના બિનખર્ચાળ કેટલાક
ઉપાય શોધવામાં આવે તો ખેતી સારી રીતે અને ઓછા ખર્ચે થઇ શકે.રોજ નડતી સમસ્યાઓથી
રાજલક્ષ્મીને તેની સહયોગી આકાંશા અને તેના ગુરુજી નંદનકર અને રવીન્દ્ર સર ના
માર્ગદર્શન હેઠળ એક ઇનોવેશન કર્યું.” કેળાની છાલ માંથી વિવિધ પદાર્થ “
રાજલક્ષ્મી ના આ ઇનોવેશનને વિજ્ઞાનપ્રદર્શનમાં તેને રાજ્ય અને રાષ્ટ્ર લેવેલે પોંખી.આ ઇનોવેશન
થકી ખેડૂતોને ઘણો ફાયદો મળ્યો.આ ઇનોવેશન કર્યું ત્યારે રાજલક્ષ્મી ધોરણ -૭મા
ઉપરોક્ત શાળામાં અભ્યાસ કરતી હતી આજે તે ધોરણ -૯મા અભ્યાસ કરે છે.
આ ઇનોવેશન ને
તેને આઈ.આઈ.એમ.અમદાવાદ ખાતે રજુ કર્યું અને તેના લીધે તેને વિજય શેરીચંદ અને
ગુપ્તા સાહેબનું માર્ગદર્શન મળ્યું.એજ્યુકેશન ઇનોવેશન મા પણ રાજલક્ષ્મી ની આ કૃતિ
પસંદ થયેલ છે.
Comments