પર્યાવરણ શિક્ષણ...


પર્યાવરણ શિક્ષણ એક મહત્વનો મુદ્દો છે.આ માટે દરેક રાજ્યો ને સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શન આપ્યું છે.
આ શિક્ષણ એક અનોખી પ્રક્રિયા છે.ગુજરાતમાં આપણે ધોરણ એક થી પાંચમાં પર્યાવરણ વિષય તરીકે શીખવીએ છીએ.આ વિષય શીખવવા માટેની કેટલીક  બાબતો અહીં આપી છે.
પર્યાવરણ - હેતુઓ
(૧)    કૌશલ્યોનો વિકાસ
        અવલોકન, તારણ, વિશ્લેષણ, જિજ્ઞાસા, વર્ગીકરણ, ચિંતન-મનન, પ્રત્યાયન, ચોક્સાઇ, સમસ્યા ઉકેલ
(ર)    અનુકૂલન
(૩)    કાર્યકારણ સંબંધ
(૪)    સહ અસ્તિત્વનો સ્વીકાર
(૫)    જીવતા જીવન સાથેનો સબંધ
(૬)    પર્યાવરણનું જાતન અને સંવર્ધન
(૭)    પર્યાવરણ પ્રેમી સમાજની રચના

આટલું જાણીએ :
ગુજરાતરાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના માર્ગદર્શન હેઠળ સપ્ટેમ્બર, ર૦૧૦ થી અભ્યાસક્રમ પુનઃગઠન માટે અનેકવિધ કાર્યશાળાઓનું આયોજન થતું રહ્યું. આ કાર્યશાળાઓ દરમિયાન અનુસંધાનનો આધાર લઇ બાળક, શીખવવાની પ્રક્રિયા, ભવિષ્યનો અપેક્ષિત સમાજ અને આદર્શસમાજની રચના માટેની શિક્ષણ-પ્રક્રિયા વગેરે જેવા મુદ્દાઓ પર સામૂહિક રીતે વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી.
આ કાર્યશાળાઓમાં એ બાબત સર્વસ્વીકૃત રહી છે.જેમાં બાળક સ્વયં પોતાના જ્ઞાનનું સર્જન કરે છે. આ ઉપરાંત અનુભવ, ચિંતન, જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ. આ ત્રણ બાબતો  જ્ઞાનસર્જનની તાર્કિક પ્રક્રિયામાં ચાવીરૂપ છે. શિક્ષણ-પ્રક્રિયાનું માધ્યમ રસપ્રદ અને પડકારયુક્ત હોવું જોઇએ. આ માધ્યમ બાળકને શિક્ષણ-પ્રક્રિયામાં સક્રિય બનાવે તેવું હોય, બાળકના પૂર્વજ્ઞાન સાથે જોડાયેલું હોય અને બાળક સમસ્યા ઉકેલ માટે પ્રેરણા આપતું હોય. આ બધી જ બાબતોના આધારે ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ માળખાનું પુનઃગઠન કરવામાં આવ્યું છે.

પ્રાથમિક શિક્ષણના શરૂઆતના વર્ષોમાં બાળક પોતાના સ્થાનિક પર્યાવરણ જ્ઞાન અને વ્યક્તિગત અનુભવો સાથે શાળામાં આવે છે. આ જ્ઞાનને સાંકળીને બાળકને અનુભવો મળે તેવી પ્રવૃતિઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળક ચિત્રકામ, વાચન, લેખન અવલોકન અને અન્ય પર્યાવરણ શિક્ષણને લાગતી પ્રવૃત્તિઓ કરશે. ચોક્કસ હેતુના પરિચય અને દૃઢીકરણની પ્રવૃતીઓ જ છે. તેમાં બાળકોની વૈયક્તિક ભિન્નતાઓ ધ્યાનમાં રખાઇ છે.

છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ થતું જ આવ્યું છે. આ પ્રવૃત્તિઓ ધ્વારા શીખવવાનો એક અભિગમ છે.પ્રવૃત્તિ ધ્વારા શીખવવાની પ્રક્રિયા થતી  હતી.આ પ્રવૃત્તિ ને આધારે કોઈ ચર્ચા કે જ્ઞાન સર્જન સંદર્ભે કોઈ ચકાસણી થતી ન હતી.આ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રક્રિયા માત્ર શારીરિક શ્રમ બની જાય છે.આ રીતે શીખવતી વખતે ઓછા પ્રમાણમાં શીખવા શીખવવાની પ્રક્રિયા થતી હોય છે. હવે એક નવીન અભિગમ સાથે આપને નવીન શૈક્ષણિક અભિગમથી પરિચિત થઇ રહ્યા છીએ. આ અભિગમમાં જોઈએ તો...

E(Exprence) વિદ્યાર્થીઓના પોતાના અનુભવ ને આધારે કરી શકે તેવી પડકાર જન્ય બાબતો.
R(Reflecation) વિદ્યાર્થીઓ ને આપેલ અનુભવ ને આધારે ચર્ચા,પ્રશ્નોત્તરી,તુલના,વિશ્લેષણ વગેરે બાબતો.
A(Application)વિદ્યાર્થીઓ ધ્વારા કરેલ પ્રવૃત્તિઓ ને આધારે ફરીથી થોડા ફેરફાર સાથે પ્રવૃત્તિ કરી શકાય તેવી બાબતો.
C(Consolitation)વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ ધ્વારા શું વિગત જાણી શક્યા તે વિગતની સમજ ની ચકાસણી કરી શકાય તેવી બાબતો.
આ અભિગમ શીખવા અને શીખવવાની સતત ચાલતી પ્રક્રિયા છે.આ પ્રવૃત્તિના તાર્કિક ક્રમથી શીખવવાનું અને સતત શીખતી વખતે પૂર્વાનુંભને આધારે સતત જીવંત અને સહજ રીતે શીખવી શકાય છે.

અહીં એ સ્પષ્ટ સમજવું કરવું જરૂરી છે કે, પર્યાવરણ શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે.નવીન શૈક્ષણિક સત્રમાં આપને પર્યાવરણ વિષયને નવા નામે ઓળખીશું.જેમાં ધોરણ ત્રણમાં મારી આસપાસ ધોરણ ચારમાં અમારી આસપાસ અને ધોરણ પાંચમાં સૌની આસપાસને નામે શિક્ષણ કાર્ય કરાવશું.પર્યાવરણ વિષયના પુસ્તકને નામ પણ એ રીતે આપેલ છે કે તેનાથી કક્ષા અને તેના ક્ષેત્રની સમજ આપી શકાય.
આમ જોવા જઈએ તો પર્યાવરણ શિક્ષણના મુખ્ય ચાર કેન્દ્રો છે.આ ચાર પગથિયાંથી જ પર્યાવરણ શિક્ષણનું કામ અસરકારક રીતે થઇ શકે છે.
આ માટે...
અવલોકન :
પર્યાવરણ શિક્ષણમાં અવલોકન એ ખૂબ જ મહત્વ ધરાવે છે.અવલોકનને આધારે વિદ્યાર્થીના જ્ઞાન ને યોગ્ય રીતે વિકસાવી શકાય છે.આસપાસનું અવલોકન કરવાથી નવા હેતુઓ તરફ વિદ્યાર્થી ને સહજ રીતે લઇ જઈ શકાય છે.
અનુભૂતિ:
અવલોકના આધારે  વિદ્યાર્થી તે બાબતે વિચારે અને તેને ચોક્કસ અનુભૂતિ થાય તોજ પર્યાવરણ શિક્ષણ મહત્વનું અને અસરકારક રીતે થઇ શકે.આ માટે અવલોક ને આધારે અનુભૂતિ થાય તે અપેક્ષા રહેલી છે.
સંવેદના:
વિદ્યાર્થીના અવલોકન અને અનુભૂતિ ને આધારે વિદ્યાર્થીમાં સંવેદના ઉત્પન થાય છે.આ સંવેદના ધ્વારા વિદ્યાર્થીના મનો જગતમાં પર્યાવરણ પ્રેમ અને તેણે આધારે પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટેની સંવેદના કેળવાય છે.
વલણ:
વિદ્યાર્થીના અવલોકન,અનુભૂતિ સંવેદના ને આધારે ચોક્કસ વલણ ઘડતર થાય છે.આ વલણ ઘડતર માટે યોગ્ય અવલોકન,અનુભૂતિ સંવેદના અને તેણે આધારે વલણ ઘડતર થાય છે.
ગીતો, વાર્તા, જોડકણાં, અભિનય અને માટીકામ, કાગળકામ, ચિત્રકામ, વિવિધ ચીજવસ્તુઓનો સંગ્રહ અને સર્જનાત્મક વૃતિઓના બહોળા ઉપયોગથી ત્રણે વિષયોના સંકલન કરેલ આ પુસ્તક દ્વારા ઉત્તમ શિક્ષણકાર્ય થઇ શકશે.

પુસ્તકના શ્રેષ્ઠ ઉપયોગ માટે શિક્ષક-આવૃતિનું નિર્માણ કરાયું છે. જે શિક્ષકો ઉપરાંત વાલીઓને પણ ઉપયોગી નીવડશે. વિદ્યાર્થી-આવૃતિમાં અપાયેલી વિવિધ પ્રતીક કે સિમ્બોલ ધ્વારા બાળક સહજ રીતે શીખી કે અનુભવો પ્રાપ્ત કરી શકે તેવી અપેક્ષા છે.

બાળકો મહદંશે ઇન્દ્રિય અનુભવો વડે નક્કર શીખે છે.આ માટે શિક્ષકે વાતાવરણ સર્જવાનું છે. પર્યાવરણ વિષય માટેની પ્રવૃતિ કે પ્રયુક્તિઓ વડે જ શિક્ષણકાર્ય કરવું એવું પણ નથી. શિક્ષક પોતે સારી કે સરળ રીતે પણ વિકસાવી શકે છે. આવી નવતર પ્રવૃત્તિની નોંધ કરવા માટે શિક્ષક આવૃતિમાં જગ્યા પણ અપાઇ છે. શિક્ષકની સર્જકતાને પૂરતો અવકાશ અપાયો છે. શિક્ષકે પોતાને મળેલી સફળતા કે જણાયેલી મુશ્કેલીઓ અંગે કરેલી નોંધ આ અભિગમની સફળતાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બનશે. આમ, શિક્ષક-આવૃતિ દરેક શિક્ષકની વ્યક્તિગત નોંધપોથી પણ બની રહેશે.

પાઠ્યપુસ્તક ભણાવતાં પહેલાં
પ્રાથમિક શિક્ષણનું ધોરણ અને તેમાંય ખાસ તો પર્યાવરણનું યોગ્ય  શિક્ષણ એ શિક્ષક માટે મોટો પડકાર છે.મન ને ગમે તેમ રમવું, ફરવું, જોવું, તોડવું, જોડવું આ બધી બાળસહજ લીલાઓ એકાએક બંધ થઇ જાય છે. ઘણાં બધાં બાળકો શાળામાં રસ ન પડવાથી કંટાળીને શાળા છોડી જાય છે. જે બાળકો શાળામાં ટકી રહે તેનો રસ પણ આગળ વધતાં ઘટતો જાય છે. આ કારણ શિક્ષક અને બાળક બંને માટે શાળા કંટાળાજનક બની જાય છે.
શાળાનો જ અનુભવ જો સુખદ, રસપ્રદ, પ્રવૃતિસભર, આનંદદાયક અને રસમય હોય તો અને તો જ બાળકને શાળા માટે આંકર્ષણ થાય, તેને શાળામાં આવવું ગમે, રહેવું ગમે, શીખવું ગમે. વિચારવું, ગાવું, અભિવ્યક્ત થવું આ બધાં પાયનાં કૌશલ્યો પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકમાં વિકસાવવાનાં છે.આ રીતે પર્યાવરણનો સમજૂતી સાથેનો વિકાસ થશે. સમગ્ર અભ્યાસક્રમ જ નહીં પરંતુ ભવિષ્યનું સમગ્ર જીવન આ પાયનાં કૌશલ્યોને આધારે જ વિકસે છે.
શાળાના સત્રની શરૂઆતમાં બાળકને શિક્ષક તરફથી તેના વ્યક્તિત્વના સ્વીકારની ખાતરી થાય, સ્નેહ, સલામતી ને હૂંફ મળે, તેને ગમતાં જોડકણાં, ગીતો, અભિનય, વાર્તા, નાટક, રમતો, માટીકામ, ચિત્રકામ, કાગળકામ અને અન્ય નાવીન્યસભર પ્રવૃતિઓ મળે તો તે શાળામં હોંશે હોંશે આવે.આ પ્રકારના અભિગમથી બનેલ પુસ્તક ને સાથે રાખી આપ શિક્ષણ કાર્ય કરાવવા જઈ રહ્યા છો.

પ્રવૃતિઓની માત્ર યાદી આપવાના બદલે શિક્ષક માટે સરળ બને તે હેતુથી પુસ્તકમાં તેનું વર્ગીકરણ કરી, પદ્ધતિ બતાવી અને પ્રવૃતિના અંતે શું અપેક્ષા છે તેની વિગતો મૂકી છે.શૈક્ષણિક સાધનો આસપાસના પર્યાવરણમાંથી સહજથી ઉપલબ્ધ હોય. ઓછા ખર્ચે સરળતાથી બને તેમ છતાં ટકાઉ હોય અને જાતે નિર્માણ કરેલ હોય તેને વધુ પસંદગી આપી છે.

હવે આપણે બાળકોની સાથે કામ પાર પાડવા માયે શું-શું જરૂરી છે તે અંગે વિચારીશું :

·         બાળરમતો
·         કુતૂહલપ્રેરક પ્રવૃતિઓ
·         વર્ગીકરણની પ્રવૃતિઓ
·         અવલોકન માટેની પ્રવૃતિઓ
·         બાળકોની મનોવૈજ્ઞાનિક ખાસિયતો
·         વિચારશક્તિ વિકસાવવાની પ્રવૃતિઓ
·         પ્રવૃતિશીલ શિક્ષણ-અભિગમ શા માટે ?

આ વિગતો ને આધારે જોઈએ.તો જણાય કે વિદ્યાર્થીઓ ને સતત ગમે અને તેમને શીખવા માટેનું વાતાવરણ પૂરુંપડે તેવી તેવાં ઉદેશ્ય સાથે બાળસહજ અને સતત બાળભોગ્ય થાય તે જરૂરી છે.
પર્યાવરણ વિષય સંદર્ભે ચર્ચા કરો અને લખો.
·         બાળકોની મનોવૈજ્ઞાનિક ખાસિયતો :
...................................................................................................................................................................
·         બાળકો સાથે કામ કરવાના પાયા સિદ્ધાંતો :
...................................................................................................................................................................

·         વર્ગખંડ-વ્યવસ્થા :
...................................................................................................................................................................


·         શાળા-વ્યવસ્થા :
...................................................................................................................................................................
·         બાળકોનો આંતરવ્યવહાર :
...................................................................................................................................................................
·         શિક્ષકનો બાળક સાથે વ્યવહાર :

...................................................................................................................................................................
·         બાળરમતો :
બાળકો અંતઃપ્રેરણાથી જાત-જાતની અને ભાત-ભાતની રમતો રમતાં હોય છે. રમવાની ઇચ્છાએ શીખવાની જ ઇચ્છા છે. રમતો દ્વારા વિદ્યાર્થીઓને  બહોળો અનુભવ અને જ્ઞાન મળે છે. રમતો આપણો સાંસ્કૃતિક વારસો છે, જેને જાળવીએ. આ રમતોને જીવતી રાખીએ. રમતોના આ વારસાને પેઢી દર પેઢી આગળ વધારવા નાનપણમાં આપણે ખૂબ રમ્યાં છીએ. આ રમતોએ આપણને ખૂબ ઘડ્યાં છે. એ રમતો આપણાં બાળકોને પણ રમાડીએ, રમતો રમવા માટે તેમને અનુકૂળતા કરી આપીએ.
·         રમત શા માટે ?
...................................................................................................................................................................
·         રમત વખતે શું શું ધ્યાનમાં રાખીશું ?
...................................................................................................................................................................
પુસ્તકમાં જુઓ અને લખો:
પુસ્તકમાં કઈ  કઈ રમતો આપેલ છે?



·         બાળવાર્તા શા માટે ?
................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................

·         શીખવવા માટે પ્રવૃતિ શા માટે?
...................................................................................................................................................................·         પ્રવૃતિ માટે શું કરશો?
...................................................................................................................................................................
·         પ્રવૃતિઓના પ્રકાર :
અવલોકન માટેની પ્રવૃતિઓ :
બાળકો અવલોકન અને અનુકરણથી ઘણું શીખે છે. પદાર્થ, બનાવે કે પરિસ્થિતનું સૂક્ષ્મ અવલોકન જ્ઞાનપ્રાપ્તિ માટે મહત્વનું છે. વસ્તુને ઉપરછલ્લી જોવી અને અવલોકન કરવું તેમાં ઘણો ફરક છે. અવલોકન બાળકની યાદશક્તિ વધારવામાં મદદરૂપ બને છે. સૂક્ષ્મ અવલોકન મનમાં ઊંડી છાપ ઉપસાવે છે અને તેથી સ્મૃતિમાં લાંબા સમય સુધી સચાવાઇ રહે છે.વર્ગમાં તેની અવલોકનશક્તિ વિકસાવવા માટે કરાવવા જેવી કેટલીક પ્રવૃતિઓના નમૂના અહીં આપ્યા છે. બાળકોને અવલોકનની તક આપીએ.

·         કેવી પ્રવૃત્તિઓ આપી શકાય?
...................................................................................................................................................................
વર્ગીકરણની પ્રવૃતિઓ :
અમુક ચોક્કસ લક્ષણોને ઓળખી જુદી જુદી સમાન વસ્તુઓનાં જૂથ બનાવવાની ક્રિયા એટલે વર્ગીકરણ, વસ્તુઓના જૂથમાંથી સરખાં અને અલગ લક્ષણોવાળી વસ્તુઓ ઓળખવાની પ્રવૃતિઓ વિપુલ પ્રમાણમાં આપવાથી વર્ગીકરણ-કૌશલ્ય વિકસે છે. બાળક કોઇ વસ્તુ કે પદાર્થ ઓળખે છે કે નહીં, તે વર્ગીકરણ દ્વારા જાણી શકાય છે. વર્ગીકરણ-કૌશલ્યની ખિલવણીથી બાળક ભવિષ્યમાં પોતાનાં માટે જરૂરી અને ઉપયોગી વસ્તુઓ તેનાં લક્ષણોના આધારે પસંદ કરી શકશે. વર્ગીકરણ દ્વારા બાળકમં વિચારશક્તિ પણ ખીલે છે. વર્ગીકરણ-કૌશલ્ય વિકસાવવા
·         પર્યાવરણ વિષય માટે કેવી પ્રવૃતિઓ આપી શકાય?
...................................................................................................................................................................
·         અખતરા અને અનુભવજન્ય પ્રવૃતિઓ :
બાળકો કંઇક ને કંઇક નવીન અખતરા કર્યા જ કરતાં હોય છે. કોઇપણ વસ્તુને ખોલવી, તોડવી, જોડવી વગેરે બાળકોને ખૂબ જ ગમે છે. બાળક કંઇક પોતાની જાતે બનાવે ત્યારે તેને અનહદ આનંદ થાય છે. બે વસ્તુ ભેગી કરવી, જુદી પાડવી, ઢાંકણા ભેગાં કરવાં, તેને પથ્થરથી ટીચવા-ઢાંકણા ગોઠવી જુદી જુદી આંકૃતિઓ બનાવવી, ડબાઓની લાઇન કરી રેલગાડી બનાવવી, ડબા સાથે દોરી બાંધી જુદી જુદી વસ્તુઓ ડબામાં મૂકવા દોરી વડે ગાડી ચલાવવી વગેરે રમતો બાળકો રમતાં હોય છે. આ બધી જ બાબતોમાં બાળકનો અખતરા પ્રત્યેનો લગાવ દેખાઇ આવે છે. બાળકોની આ મનોવૈજ્ઞાનિક સહજવૃતિનો ઉપયોગ કરી તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી શકાય.
·         પર્યાવરણ વિષય માટે કેવી પ્રવૃત્તિઓ આપી શકાય?
...................................................................................................................................................................      ગુણ અને લક્ષણ - ઓળખ પ્રવૃતિઓ :
જુદા જુદા પ્રકારનાં લક્ષણો પ્રમાણે વસ્તુઓની સરખામણી કરવાથી, બાળકના મગજમાં ચીજવસ્તુઓ અંગે ચોક્કસ સામાન્ય ખ્યલો બંધાય છે. દરેક વસ્તુને ચોક્કસ લક્ષણો હોય છે, તે લક્ષણો દ્વારા તેને ઓળખી શકાય છે.
·         પર્યાવરણ વિષય માટે કઈ પ્રવૃત્તિઓ આપી શકાય:
...................................................................................................................................................................·         સંગ્રહની પ્રવૃતિઓ :
જે ગમી જાય તેનો સંગ્રહ કરવાની બાળકોમાં સહજવૃતિ હોય છે. આપણને તુચ્છ લાગતી ઘણી વસ્તુઓ બાળકો ખિસ્સામાં કે દફ્તરમાં ભરીને સાથે લાવતાં હોય છે. આપણે મોટા ભાગે આવી વસ્તુઓ ફેંકાવી દેવાને બદલે આ વસ્તુઓ બાળકે શા માટે પાસે રાખી છે ? તે વસ્તુમાંથી શું-શું બને? તેનો શું ઉપયોગ કરી શકાય?આ જ વસ્તુઓ બાળકને શા માટે ગમે છે ? તેનું તે શું કરવા માંગે છે? આવી વિગતોની જાણકારી મેળવવી શિક્ષક માટે ખૂબ જ ઉપયોગી છે.
·         પર્યાવરણ વિષય માટે માટે કેવી પ્રવૃત્તિઓ આપી શકાય?
...................................................................................................................................................................·         કાગળકામની કેવી પ્રવૃત્તિઓ આપી શકાય?
...................................................................................................................................................................
રંગ પૂરો :
રંગ પૂરવાની પ્રવૃતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. શિક્ષણના પ્રારંભિક દિવસોમાં વિદ્યાર્થીઓનો રસ કેળવાય અને જળવાઇ રહે તે માટે આ પ્રકારની પ્રવૃતિનું મહત્વ રહેલું છે.
આ પ્રવૃતિ દ્વારા .....
·                     વિદ્યાર્થીઓના હાથ અને આંગળા કેળવાશે.
·                     ચોક્કસ વિગતો અને મુદ્દાઓને સમજી શકશે.
·                     સર્જનાત્મક તરફ વિદ્યાર્થીઓ આગળ વધશે.
·                     વિદ્યાર્થીઓની અવલોકન શક્તિ અને એકાગ્રતા વધશે.
·                     વિદ્યાર્થીઓ વર્ગીકરણ,પુર્વાનુભવ અને વિગતો નોધી શકશે.

·         વિચારો અને કહો :
રંગ પૂરવા માટે તમે વર્ગમાં કઇ કઇ તૈયારીઓ રાખશો ?

વિવિધતા :
અહીં વિદ્યાર્થીઓ રંગપૂર્ણીના માધ્યમથી વિવિધ મુદ્દાની સમજ કેળવશે. આ પ્રવૃતિના માધ્યમથી વિદ્યાર્થીઓ....

·                     ચિત્ર દોરવાનું કાર્ય કરશે.
·                     વર્ગીકરણ આધારે રંગ પૂરશે.
·                     ચિત્રમાં રંગ પૂરવાનું કામ કરશે.
·                     વિવિધ વિગતોની જાણકારી મેળવશે.
·                     પર્યાવરણના વિવિધ મુદ્દાથી પરિચિત થશે.

જુઓ અને કહો :

રંગ પૂરવાની પ્રવૃતિ દ્વારા પ્રયાવરણ કયા-કયા મુદ્દાની ચર્ચા થશે ?
...................................................................................................................................................................
રંગ પૂરવાની પ્રવૃતિ દ્વારા પર્યાવરણના કયા-કયા મુદ્દાની ચર્ચા થશે ?
...................................................................................................................................................................
વિચારો અને લખો :

આ પ્રવૃતિ માટે નોંધ કરો.
આટલું કરીએ
આટલું ન જ કરીએ
·
·
·
·
·
·
·
·
·
·
·
·


વિચારો અને કહો:
ચર્ચાની પ્રવૃતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અમુક બાબત શીખ્યા પછી તેના વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે ચર્ચા ખૂબ જ મહત્વની પ્રવૃતિ છે. ચર્ચા દરમ્યાન વિદ્યાર્થીઓના પ્રશ્નો અને જવાબોના આધારે વિષયવસ્તુ નિર્માણ થાય છે.ક્યાંક વિચાર પ્રેરક સવાલ ધ્વારા અથવા ચિત્ર,પરિસ્થિતિ કે અન્ય સામગ્રી ધ્વારા  વિદ્યાર્થીઓ મૌલિક રીતે મુદ્દો શીખી શકે છે વ્યક્ત થઇ શકે છે તે માટે અહીં આયોજન કરવું.
આ પ્રવૃતિ દ્વારા :
·                     સહપાઠી સાથે મુક્ત અને વ્યક્ત થઇ શકે છે.
·                     વિદ્યાર્થીઓ કોઇ બાબત માટે પ્રશ્નો વિચારતા થાય છે.
·                     અન્યએ પૂછેલા પ્રશ્નોના પોતાની ક્ષમતા મુજબ જવાબો વિચારે છે.

વિચારો અને કહો :
ચર્ચા કરાવવા માટે તમે વર્ગખંડમાં કઇ કઇ તૈયારી રાખશો ?



વિવિધતા :
·                     વસ્તુઓની ઉપયોગીતા પર ચર્ચા કરવી.
·                     આસપાસ બનતી ઘટનાઓ પર ચર્ચા કરવી.
·                     વિદ્યાર્થીઓ કોઇ ચિત્રો જોઇને તેના ઉપર ચર્ચા કરે.
·                     પ્રાર્થના સંમેલનમાં શિક્ષક દ્વારા આપેલ મુદ્દા પર ચર્ચા.
જુઓ અને કહો :
·                     વિચારો અને કહો પ્રવૃતિ દ્વારાપર્યાવરણના  કયા કયા મુદ્દા પર ચર્ચા કરી શકાય ?
...................................................................................................................................................................·                     ચર્ચાની પ્રવૃતિ દ્વારા પર્યાવરણના કયા મુદ્દા શીખવી શકાય ?
...................................................................................................................................................................વિચારો અને લખો :
આ પ્રવૃતિ માટે નોંધ કરો.
આટલું કરીએ
આટલું ન જ કરીએ
·
·
·
·
·
·
·
·
·
·


કોયડા ઉકેલ માટે તમે વર્ગખંડમાં શું આયોજન કરશો ?


વિવિધતા :
અહીં વિદ્યાર્થીઓ કોયડાના ઉકેલની મદદથી વિવિધ મુદ્દાની સમજ કેળવશે. વિવિધ મુદ્દાની સમજ માટે કોયડાનો ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ નવી વિગતોની જાણકારી મેળવશે.
·                     વિવિધ કોયડા ઉકેલનું કામ કરશે.
·                     ભાષાને લગતા કયોડાની મદદથી ભાષાના મુદ્દાની સમજ કેળવશે.
·                     અવલોકન અને અનુભવને આધારે કોયડા ઉકેલશે.
જુઓ અને કહો :
·                     કોયડા ઉકેલ દ્વારા કયા-કયા મુદ્દાની સમજ આપવામાં આવી છે ?
...................................................................................................................................................................કોયડા ઉકેલની પ્રવૃતિ માટે સ્થાનિક કક્ષાએ શું શું કરી શકાય ?
...................................................................................................................................................................
વિચારો અને લખો :
આ પ્રવૃતિ માટે નોંધ કરો.
આટલું કરીએ
આટલું ન જ કરીએ
·
·
·
·
·
·
·
·
·
·



ગીત :
ગીત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આનંદદાયક ક્રિયા છે. વિદ્યાર્થીઓને ગીતમાં ખૂબ જ મજા આવે છે. ગીતથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે.
આ પ્રવૃતિ દ્વારા ............
સંગીતની સમજ કેળવાય.
·                     વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે છે.
·                     વિદ્યાર્થીઓનું શ્રવણ કૌશલ્ય કેળવાય છે.
·                     અભિનય કરવાની કળાનો વિકાસ થાય.
·                     વિષયવસ્તુ સંદર્ભે સમજ પ્રાપ્ત થાય.
વિચારો અને કહો :
ગીત કરાવવા માટે તમે કઇ કઇ તૈયારી રાખશો ?


વિવિધતા :
અહીં વિદ્યાર્થીઓ ગીતનું માત્ર ગાન કરતા નથી પણ ગીત દ્વારા એ વિવિધ મુદ્દાની સમજ કેળવશે.
·                     યોગ્ય લયમાં ગાન કરશે.
·                     શબ્દોના ઉચ્ચાર શીખશે.
·                     ભાષા સંદર્ભે વિવિધ મુદ્દાથી પરિચિત થાય છે.
·                     આનંદની સાથે વિષયવસ્તુના સંદર્ભે હોય છે.

જુઓ અને કહો :
·                     ગીતની પ્રવૃતિ દ્વારાપર્યાવરણના પુસ્તકમાં કયા કયા મુદ્દાની સમજ આપી છે?
...........................................................................................................................................................
વિચારો અને લખો :
ગીત દ્વારા વિદ્યાર્થી શું શીખે છે
પૂરક ગીત કઇ રીતે મદદરૂપ થાય છે

·
·

·
·

·
·

·
·

·
·

·
·

 પર્યાવરણના કોઈ પણ એક મુદ્દા  શીખવવા માટેનું ગીત લખો ....


 પર્યાવરણ આધારીત કોઇપણ બે જોડકણાં લખો.
·
·
વાર્તા :
વિદ્યાર્થીઓ હંમેશા વાર્તા રસપૂર્વક અને ધ્યાન થઇને સાંભળતા હોય છે. વાર્તા હંમેશા શીખવવાનું  અસરકારક માધ્યમ રહ્યુ છે. વિદ્યાર્થીઓને વાર્તા ખૂબ જ ગમે છે.
આ પ્રવૃતિ દ્વારા :
·                     વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે છે.
·                     વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃતિ વિકસે છે.
·                     વિદ્યાર્થીઓનું શ્રવણ કૌશલ્ય કેળવાય છે.
·                     વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ અને કલ્પના શક્તિ વિકસે છે.

વિચારો અને કહો :
વાર્તા કથનમાં તમે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખશો ?




વિવિધતા :
·                     વાર્તા દ્વારા વિદ્યાર્થી વિષયવસ્તુની સમજ પણ મેળવે છે.
·                     વાર્તા દ્વારા વિદ્યાર્થી ભાષા-પર્યાવરણ વિશે સમજ મેળવે છે.
·                     સાચા ઉચ્ચાર અને આરોહ, અવરોહ તેમજ ભાષા કૌશલ્ય શીખે છે.
જુઓ અને કહો :
·                     વાર્તા દ્વારા વિદ્યાર્થી શું શું શીખે છે ...................................................................................................................................................................
વિચારો અને લખો :
વાર્તા દ્વારા પર્યાવરણના કયા મુદ્દા શીખવી શકાય
 અવલોકન શીખવી શકાય તેવી વાર્તા નોધોં
·
·
·
·
·
·
·
·
·
·
·
·
·
·
·                     વાર્તા દ્વારા કઇ રીતે પર્યાવરણ શિક્ષણ થઇ શકે ?
...................................................................................................................................................................

વિચારો અને લખો :
 પર્યાવરણ વિષય માટે ઉપયોગી વાર્તા


પ્રવૃતિ :
 સામાન્ય રીતે સમજવામાં અઘરી લાગે  તે બાબતો પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી શીખવી શકાય છે. પ્રવૃતિનું ધોરણ 1 થી 5 માં ખૂબ જ  મહતવ રહેલું છે.

આ પ્રવૃતિ દ્વારા :

·                    વિદ્યાર્થી પ્રવૃતિ દ્વારા મુદ્દાને સમજણ પૂર્વક ગ્રહણ કરી શકે છે.
·                    વિદ્યાર્થીઓના હાથ-પગ, આંખો, મગજ વગેરેનો એક સાથે સમન્વય કરે છે.
·                    પ્રવૃતિમાં વિદ્યાર્થીને વિચારવું તથા  જાતે કરવું અને જ્ઞાનનું સર્જન કરવું જેવી બાબતોને અવકાશ છે.

વિચારો અને કહો :

પર્યાવરણ વિષયમાં  કેવી કેવી પ્રવૃતિઓ કરાવી શકાય ?



વિવિધતા :
·                     વૃક્ષોના અવલોકન અને ઉપયોગીતાની પ્રવૃતિ.
·                     બે વસ્તુઓની સરખામણીની પ્રવૃતિ.
·                     વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવું.
જુઓ અને કહો :
·                     પ્રવૃતિઓની વિવિધતા લાવવા માટે કેવા કેવા પ્રકારની ક્ષેત્રની પ્રવૃતિ થઇ શકે ?
.............................................................................................................................................................
·                     વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિકસાવવા કેવી કેવી પ્રવૃતિ થઇ શકે ?
...................................................................................................................................................................વિચારો અને લખો :
અવલોકન આધારિત પ્રવૃતિઓ
સમજણ આધારિત પ્રવૃતિઓ
·
·
·
·
·
·
·
·
·
·

મેદાનની રમત :
વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ તથા વિવિધતા માટે મેદાનની રમતો ખૂબ જ ઉપયોગીતા છે. અહી વિદ્યાર્થીઓને મેદાની રમતોમાં આનંદથી શીખી શકે છે.
·                     વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા વિકસે છે.
·                     વિદ્યાર્થીઓ જે તે વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.
સમૂહ ભાવના કેળવાય છે.

પર્યાવરણ શિક્ષણ માટે પુસ્તકમાં કઇ કઇ મેદાનની  રમતો આપી છે?


વિચારો અને લખો :

વ્યક્તિગત રમતો
સમૂહમાં રમાતી રમતો
·
·
·
·
·
·
·
·
·
·
·
·
·
·

·         રમત રમાડતી વખતે શું ધ્યાન રાખશો?
.............................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................
વર્ગખંડની રમત :
વર્ગખંડની રમત દ્વારા વિદ્યાર્થીઓ વર્ગમાં જ રમત દ્વારા સંકલ્પના સમજે છે. બાળકો સ્વપ્રયત્ને અને બીજા વિદ્યાર્થિની મદદથી રમતા રમતા શીખે એ આશય રહેલો છે.
આ પ્રવૃતિ દ્વારા ...
·                     એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને મદદ કરવાનું વલણ કેળવે છે.
·                     વર્ગખંડમાં જ રમતા-રમતા સ્વપ્રયત્ને શીખે છે.
·                     વિદ્યાર્થી-વિદ્યાર્થી સાથે મુક્ત મને વ્યક્ત થાય છે.
·                     વિદ્યાર્થીના આત્મ વિશ્વાસમાં વધારો થાય છે.

વિચારો અને કહો :
વર્ગખંડની રમત માટે તમે કઇ કઇ તૈયારી રાખશો ?
.........................................................................................................................................
.........................................................................................................................................
.........................................................................................................................................
........................................................................................................................................

વિવિધતા :
·                     વિદ્યાર્થી વર્ગમાં જ શિક્ષકની સૂચનાથી રમત રમે છે.
·                     વિદ્યાર્થી-વિદ્યાર્થી ને પરસ્પર મદદરૂપ થાય છે.
·                     રમત દ્વારા શીખવાથી આત્મવિશ્વાસ વધે છે.
·                     પર્યાવરણની વિવિધ સંકલ્પનાઓ સમજે છે.


જુઓ અને કહો :
·                     વર્ગખંડની રમત દ્વારા ભાષાના કયા-કયા મુદ્દા પર રમત રમાડી શકાય ?
..................................................................................................................................................................

·         વર્ગખંડની રમતની શિક્ષણમાં ઉપયોગીતા શું છે ?
...................................................................................................................................................................વિચારો અને લખો :
વર્ગખંડની રમત માટે નોંધ કરો.
આટલુ કરીએ
આટલું ન જ કરીએ
·
·
·
·
·
·
·
·
·
·
·
·

વિચારો અને લખો:
વિચારો અને કહો :
પર્યાવરણ આધારીત એક રમતની વિગત નોધો.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી