સવારે આઠ થી સાંજે આઠ સુધી ચાલતી શાળા એટલે ગમતી નિશાળ. સમગ્ર દેશમાં આજે શિક્ષક દિન ઉજવવામાં આવી રહ્યો છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિન નિમિત્તે એવા શિક્ષકોની વાત કરવી છે જેમણે એક નવતર આયોજન કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર પાલનપુર ખાતે ગયા વર્ષે ગમતી નિશાળની સ્થાપના કરવામાં આવી. અહી બાળકો માટે કોઈ પુસ્તકો કે શાળાનો કોઈ નિયત ગણવેશ નથી. આવી અનોખી શાળા માટે એના સંચાલનમાં શિક્ષકો જ જોડાયેલ છે. કેવી છે આ શાળા . આ શાળાને વૈદિક પરંપરા મુજબ નિર્માણ કરવામાં આવી છે. વાંસ અને માટીના ચણતરથી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું છે. શાળામાં આવનાર બાળકો વૈદિક પરંપરા થકી શૈક્ષણિક દિવસની શરૂઆત કરે છે. બેસવાની જગ્યા એ ગાયના છાણ થી લીપણ કરવામાં આવ્યું છે. રોજ સૂર્ય પૂજા અને મંત્રોચાર વડે દિવસની શરૂઆત થાય છે. પુસ્તક વગર બાળકો કેવી રીતે ભણે છે. શાળા હોય એટલે પુસ્તકો હોય. પરંતુ આ શાળામાં પુસ્તક વગર બાળકોને શીખવવામાં આવે છે. અહી બાળકોને શીખવવા માટે દૈનિક પત્રો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો જીવાતા જીવનમાં કૌશલ્યો કેળવી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં
મારા એક... નહીં મારો એક મિત્ર સંજય રાવલ. અમદાવાદનો ચાણક્ય. કારણ ચાણક્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવે. ફેઇસ બુકમાં હું એમનો ફોલો કરું છું. જ્યારે એ લખે, સરસ જ લખે. ઘણી વખત એવું થાય કે આ વિગત હું મારા બ્લોગમાં લખું. થાય એવું કે બેઠું લખવું મને ન ગમે. કારણ બ્લોગ મારો છે. આ વખતે સંજય રાવલે એવું લખ્યું કે મને સીધું જ અહીં મૂકવાનું મન થયું. આ કારણે સંજયભાઈ ને મેસેજ કર્યો. એમણે મને લખવા સૂચના આપી. એમની વિગત અહીં હું આપને માટે લખું છું. હવે સંજયભાઈ રાવલની વાત... એક દિવસની વાત છે. સંજય રાવલને કોર્ટમાં જવાનું થયું. બીજા એક જિલ્લામાં જવાનું થયું. જીલ્લો દૂરનો હતો. આ જિલ્લાની સેશન્સ કોર્ટમાં મારે હજાર રહેવાનું થયું. એમની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે ત્યાં જવાનું હતું. એના જન્મતારીખના પુરાવા તરીકે વય પત્રક લઈ હાજર રહેવાનું થયું. કોર્ટ અને વિદ્યાર્થીના નામનો ઉલ્લેખ કેટલાક કારણોસર એમણે કર્યો નથી. આતો માસ્તર. સમય સર પહોંચી ગયા. તે કોર્ટની અંદર પ્રવેશ્યા. ન્યાયાધીશ સાહેબની સામે જઈ ઊભો રહ્યા. એમને જોઈ ન્યાયાધીશે પૂછ્યું, "તમે?" મેં કહ્યું, "નમસ્તે સર, હું શાળાનો પ્રિન્સિપાલ છું. આજે અહી
ઈચ્છાઓ... માણસને મારવા પણ ન દે... આજે જીવતી વાર્તામાં ‘અશ્વથામા...’ ભગવાન કૃષ્ણએ કલયુગ ના અંત સુધી જીવતા રહેવાનો શ્રાપ આપ્યો. કહેવાય છે જન્મ સમયથી માથામાં મણી લઈને જન્મેલા.શંકરનો અંશ કહેવાતા અશ્વથામા. તો... ૧૯૮૩માં બનેલી ઘટના - શરૂઆત - ૧૯૧૩માં થઈ. તેમનો ઘાર્મિક પરિવાર. સંજય જોષીનો જન્મ નવસારી પાસેના ગામમાં થયો. ૪૦ થી ૫૦ વર્ષના થયા ત્યારે જાણ્યું કે અશ્વથામા આજેય જીવંત છે. ત્યારથી એમના દર્શન કરવાનું વિચાર્યું... બુરહાનપૂરા પાસે અસીમગઢના કિલ્લામાં એક શંકરનું મંદિર. જ્યાં એમની દિકરી પરણાવી હતી. એમના પૌત્રનો ૧૮મો જન્મ દિવસ. આ દિવસે એમની તબિયત બગડી... સારવારના અંતે કેન્સર હોવાનું જણાયું. ખાવા-પીવાના શોખીન. રસગુલ્લા ખુબ ભાવે. કેન્સર થયું ત્યારથી અશ્વથામાના દર્શનની તાલાવેલી લાગી. અશ્વથામાના દર્શન થાય અથવા એ સ્થળે જીવનના અંતિમ દિવસો પસાર થાય. બુરહાનપૂરામા દીકરી-જમાઈ અને ભાણીયાં રહે. ત્યાં જવાની વ્યવસ્થા થઈ. કેન્સરને કારણે ડોકટરે વધુમાં વધુ બે મહિના જીવશે.દીકરીને ઘરે જઈ ગાડીની વ્યવસ્થા કરી. એમણે સાંભવ્યું હતું કે અશ્વથામા સવારે પાંચ વાગે પૂજા કરવા આવે
Comments