ભારત-પાકિસ્તાન...
પાકિસ્તાન માટે ભારતનું મહત્વ:
પાકિસ્તાન ભારતને પોતાનો મહત્વપૂર્ણ સહયોગી બનાવી તેની અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો લાવી શકે છે. સાથે સાથે તેની ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ હળવી થઇ શકે છે.ગેસ પાઇપલાઇન જે પાકિસ્તાન થઇને ભારત આવશે તેમાં પાકિસ્તાનને આવક થવા ઉપરાંત પોતાની ઊર્જાની જરૂરિયાતો ઓછા ઇન્ફ્રાસ્ટ્રકચરના ખર્ચે પૂરી કરી શકાશે.પાકિસ્તાન વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે (WTO, UN, WHO) વગેરેમાં ભારતની સાથે મળીને કૃષિ સંબંધી, પેટન્ટ સંબંધી મુદ્દાઓમાં ભારતનો મજબૂત અને ઉપયોગી સાથ આપી પોતાની આર્થિક સ્થિતિ ઇકોનોમી સુધારી શકે.વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન અમેરિકાની સ્વાર્થી નીતિઓને સમજવા લાગ્યું છે. ઉપરાંત તાલિબાન જેવા મુદ્દાઓ ઉપર મતભેદથી તેનો ઝોક ભારત તરફ વધે તો નવાઇ નહીં.
પાકિસ્તાન ભારત સાથે સહયોગ કરીને તેના દેશમાં ઊભરી રહેલી અને વધી વહેલી કટ્ટરપંથી,તાલિબાનીઓની તાકાતને ખાળીને તેની એકતા, સાર્વભૌમત્વ અખંડિતતાનું રક્ષણ કરી શકે તેમ છે.આમ, ભારત-પાકિસ્તાન દ્રિપક્ષી સંબંધોનું પરસ્પર મહત્વ છે.
સ્વાત-ઘાટી:
પાકિસ્તાનના ઉત્તરક્ષેત્રમાં સ્થિત રમણીય ઘાટી. પાકિસ્તાનનું સ્વિત્ઝર્લેન્ડ. પરંતુ કમનસીબે આ ક્ષેત્ર સહિત પશ્ચિમોત્તર સીમા ક્ષેત્રના મલાકંદ ડિવિઝન સુધી તાલિબાનનો દબદબો રહેલો છે.અહીં ૧૪ એપ્રિલ ૨૦૦૯થી શરિયત કાનૂન અમલમાં આવ્યો છે. આ માટે નિઝામ એ અદલ અધિનિયમ ૨૦૦૯ને પાકિસ્તાન સંસદે પસાર કર્યો છે.આ કારણે અનેક અઘવડો છે.આ શરિયત કાનૂન અમલી બનવાથી આ ક્ષેત્રમાં નિઝામએ શરિયતના ચુકાદાઓ સર્વોચ્ચ અદાલતથી પણ ઉપર થઇ ગયા અને તેમને હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટમાં પડકારી શકાતા નથી.આ કારણે તાલિબાનનો પ્રભાવ વિશેષ બન્યો છે.તાલિબાનની સ્થિતિ પાકિસ્તાનમાં મજબૂત થવાથી ભારતમાં તેનો ખાસ પ્રસાર તો કાશ્મીરમાં વધી શકે છે. પાકિસ્તાનમાં તાલિબાન પ્રભાવિત ક્ષેત્રમાં અનેક વર્ષોથી વસવાટ કરતાં શીખ લઘુમતી પરિવારો પાસેથી જઝીયાવેરો વસૂલવાનું શરૂ થયાનું જાણવા મળેલ છે.(૦૨/૦૧/૨૦૧૨)
Comments