જોડાક્ષર વગરની વાર્તા...રાજા અને વાજા...



એક હતો રાજા.તેને વાજા વગાડવાનું ખૂબ ગમે.તેને વગાડવાનું ફાવે નહિ.રાજાને ચેન ના પડે.રાજાને તો હવે કશું જ ના ગમે.રાજા ના ખાય કે ના આરામ કરે.બસ, વાજા વગાડનાર ને શોધવામાં જ પોતાનો સમય પસાર કરે.આ રાજાને વાજા વગાડવાના જ વિચાર આવે.નગરના લોકો પણ વિચારે.રાજાને આ વાજા વગાડનું શીખવાની જરૂર કેમ પડી હશે? રાજાને વળી વાજા વગાડવાનું શીખીને શું કામ છે? પણ આતો રાજા,વાજા અને વાંદરા.તેમને તો કોણ સતાવે?
આ તરફ બે મહિનાની મહેનત પછી એક વાજા વગાડનાર માસ મળી ગયો.આ માણસ સંગીતના બધા જ સાધન વગાડતા આવડે.આ કલાકાર તો ઢોલકા વગાડે,તબલા વાગડે,વાજુ પણ વાગડે અને સંતુર પણ વગાડી જાણે.રાજા આ માણસને મળીને ખુશ થયો. આ કલાકાર રાજસભામાં રાજાની બાજુમાં જ બેસે.રાજાએ આ કલાકાર પાસેથી જુદા જુદા વાજા વગાડવાનું શીખવાનું ચાલુ કરી દીધુ હતું.રાજા એ વાજા વગાડવાની શરૂઆત કરી.રાજા બધું કામ છોડી આ કલાકારની પાસે બેસી જાય.
રાજા રાગડા તાણીને ગાય.થાપોટ મારી સાજ પણ ખખડાવે.ફૂંક મારી વાંસળી અને પીપૂડી પણ વગાડે.આડો,અવળો અવાજ આવે..આવાજ આવે અને રાજા હરખાય.રાજાને પણ મજા આવતી હતી.
એક દિવસની વાત છે.રાજા અને કલાકાર બગીચામાં બેઠા  હતા.કલાકારના હાથમાં મંજીરા  હતા.કલાકાર હાથમાં બાંધીને આ મંજીરા વગાડતો હતો.સરસ મજાનો ઠંડો પવન આવતો હતો.રાજા કોઈ વાત પર બોલતા હતા.આ કલાકાર મંજીરા વગાડવાની ધૂનમાં હતો.તેમને વિવાદ થયો. કલાકાર દુ:ખી  થાય તેવું રાજાએ કહી દીધું.બસ,કલાકારને દુ:ખ થયું.
કલાકાર કહે:રાજાજી તમને હું ના શીખવી શકું.તમે કલાનું અપમાન કારો છો.મારાથી કલાનું અપમાન સહન ન થાય.હું જાઉં છું.આટલું બોલી કલાકારતો ગયો.રાજાને નમન કરી ને તે  ગયો.રાજાને હતું કે આ કલાકાર પાછો આવશે.પણ કલાકાર બીજા દિવસે પણ મહેલમાં ના દેખાયો.આમ કરતા કરતા દિવસો પસાર થયા.
 રાજાને વાજા વગાડતા થોડું ગણું આવડતું હતું.અરે કહોને કે કઈ રીતે અવાજ આવે છે તે રાજાને જાણ હતી.રાજાએ પોતાના નગરમાં લોકોને આ સાધન શીખવા અને વગાડવા મહેલમાં બોલાવવાની શરૂઆત કરી.થોડા દિવસોમાં અનેક લોકો આવતા થયા.આતો આવડતની વાત.આવડત કોઈની ગુલામ નથી.આવડ હોય તેનો કોઈ પણ કામ કરવામાં સમય ના બગાડે.રાજાના લોકોમાંથી જ અનેક લોકો સારું વગાડતા થઇ ગયાં.રાજા પણ હવેતો વાજુ વગાડવાનું શીખી ગયા હતા.
રાજા હવે નગરના લોકો સાથે બેસતો હતો.વાત વાતમાં નગરની સુવિધાઓ વિષે જાણતો હતો.રાજાની નજીક જનાર આ લોકો નગરના વિકાસમાં પણ સહભાગી થયા હતા.રાજાને સંગીત શીખવાને લીધે મજા આવી હતી.રાજાએ તેના નગરમાં ચાલતી બધી જ શાળાઓમાં સંગીત શીખવવાનું ફરજીયાત કરી દીધું હતું.એક દાયકામાં તો આ નગરમાં અનેક કલાકારો થઇ ગયાં.આજે પણ આ નગરને કલાનગર તરીકે ઓળખાય છે.  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી